SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ (૧) આર્થિક જીવન (૨) સામાજિક જીવન (૩) રાજકીય જીવન. (૪) ધાર્મિક જીવન. કે જીવન અખંડ છે, એના વાસ્તવિક વિભાગ હેઈ શકે નહિ, પણ જુદી જુદી પરિસ્થિતિમાં જીવન ઉપર શું અસર થાય છે તે દર્શાવવા જ આ વિભાગે પાડયા છે. આર્થિક જીવન જૈનેનું આર્થિક જીવન આજે કયા પ્રકારનું છે? કદંબગિરિની પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપરા ઉપરી જમણે થાય કે અમદાવાદમાં હંમેશાં પૂજા–ઉત્સવ નજરે પડે એથી જૈન સમાજ પૈસાદાર છે એમ કલ્પી શકાય ખરું? આજે જેનેના હાથમાંથી ઘણો ખરો વેપાર સરકી ગયો છે, એક પણ ધધા પર ખાસ પિતાની પ્રભુતા રહી નથી જ્યારે લેર્ડ કર્ઝનના સમય સુધી હિંદુસ્થાનના વેપારને લગભગ ત્રીજો ભાગ એકલા જૈનેના હાથમાંથી જ પસાર થતો. આજે તે જગતની બદલાતી પરિસ્થિતિમાં જેનેએ પિતાનું એક માત્ર જાળવી રાખેલું ક્ષેત્ર પણ ગુમાવ્યું છે અને ગામડામાં રહેતા ને જે મોટા ભાગે ધીરધારનું કામ કરતા તેઓની પણ ત્રણ વર્ષે દેવું ડુબાડનારા કાયદાથી તેમજ બીજા કારણોથી પાયમાલી થઈ ગઈ છે. આજે તો સટ્ટા ને આંકફરકે જૈન સમાજનો પીછો પકડ છે. ખાસ કલાકૌશલ પણ રહ્યાં નથી. બેચાર મીલમાલેકેને જોઈ કે પાંચપચીસ વેપારી પેઢીઓને સારી ચાલતી જોઈ આખે જૈન સમાજ આર્થિક સ્થિતિમાં સારે છે એમ પ્રતિપાદન કરવું એ શું સરાસર મૂર્ખતા નથી? | મુઠીભર માણસે બાદ કરીએ તે જેની હાલત કંગાલ છે. મધ્યમ વર્ગ કરતાં પણ કફોડી છે. મધ્યમ વર્ગ અને મજુરે તે ગમે તે ધ ગ્રહણ કરી પિતાની આજીવિકા બરાબર પ્રાપ્ત કરે છે પણ જેને સમાજને તે હજુ પ્રતિષ્ઠાનું ભૂત વળગેલું છે. અમુક ધધ ન થાય, અમુક જ થાય, અમુકમાં અમુક કર્માદાન લાગે વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy