SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ હનુમાન જયંતી ત્યારે તેમને માટે બહુ દૂરથી ઔષધિ લાવવાનું કામ પણ તે બહુ જ આનંદથી કરે છે. તેમને કઈ કામમાં થાક તે લાગતું જ નથી. રાત કે દિવસ તે જોતા નથી. રામચંદ્રજીની ઈચ્છા જાણે એટલે તે થવું જ જોઈએ એવી તેમની ટેક છે. સાચા સેવક હુકમની રાહ નથી જેતે. એ તે ફક્ત કામ કરવામાં જ આનંદ માને છે. એમ કરવામાં લેક તેની વાહવાહ કરે તેની તેને લગારે ય ઈચ્છા નથી હોતી. ઊલટું તેમ ન થાય તે માટે પાછળ. રહે છે. જેમકે સીતાજીની ભાળ કાઢી આવ્યા પછી સુગ્રીવ વગેરે રારચંદ્રજીની પાસે પહોંચ્યા ત્યારે તે શાંત થઈને પાછળ બેસી રહે છે. બીજા બધા વાનર આગેવાન રામને બધી હકીકત જણાવે છે, પણ હનુમાનજી પિતાનાં પરાક્રમની વાતે કહેતા નથી. પણ રામચંદ્રજી સમજી જાય છે કે હનુમાનજી સાચા સેવક અને ભક્ત છે. તેમના દિલને. ભાવ તે સમજી જાય છે. તેમની કુશળતાને વિચાર કરીએ તે જણાશે કે લંકામાં સૈન્યની ભૂહરચના કરવામાં એ એવી તે કુશળતા દાખવે છે કે મુસીબતને પ્રસંગે એક પણ લડવૈયાની ખુવારી સિવાય દુશ્મનથી ઘેરાયેલા આખા સૈન્યને પાછું ખેંચી લઈ શકે છે. આમ તે કુશળ યોદ્ધા પણ હતા. લંકાનું યુદ્ધ જીતીને રામચંદ્રજી સીતાજીને લઈને અયોધ્યા પાછા જવા નીકળે છે ત્યારે વચ્ચે કિષ્કિન્ધામાં સુગ્રીવના આગ્રહથી ઊતરે છે. ત્યારે હનુમાનજી સુગ્રીવને કહે છે, કે આજ સુધી હું આપની પાસે રહ્યો છું. આપ સુખેથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034995
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorRavishankar Maharaj
PublisherBalgovind Kuberdas Co
Publication Year1955
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy