SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રમ ધર્મ પ્રથમ નાભિ તૈયાર થાય છે. પછી ધીમે ધીમે બીજા ભાગની રચના થાય છે. એમ નવ મહિને આખું શરીર બરાબર તૈયાર થઈ જાય છે, એટલે બાળક બહાર આવે છે. આ રીતે તેનું એક ઘડતર પૂરું થયું. બીજુ ઘડતર બ્રહ્મચર્યાશ્રમમાં થાય છે. ત્યાં તેને ટેનું જ્ઞાન આપવામાં આવે છે. ટે પાડવામાં આવે છે. શરીર, મન અને હૃદય ત્રણેનું ઘડતર કરવામાં આવે છે. એ માટે તેને ગુરુ પાસે મેકલવામાં આવે છે, ત્યાં ગુરુ તેના પિતા અને સરસ્વતી તેની માતા બને છે. આમ પ્રથમ ગર્ભવાસમાં અને પછી ગુરુ પાસે ઘડાઈને તે સમાજમાં જાય છે. જન્મવું એટલે અવતરવું. અવતરવુંને અર્થ થાય છે નીચે ઊતરવું-સમાજમાં જવું. ગુરુને ત્યાંથી જ્ઞાન મેળવીને સમાજમાં જાય ત્યારે સમાવર્તન વિધિને સંસ્કાર કરવામાં આવે છે. એને અર્થ એ છે કે તે સમાજ માટે પૂરો ઘડાયે છે-સમાજમાં રહેવાને લાયક થયે છે. બ્રહ્મચારીને પીળાં વસ્ત્રા–સંન્યાસીને ભગવાં વસ્ત્ર હોય છે, તેમ બ્રહ્યાચારીને પીળાં વસ્ત્ર પહેરવાનાં હોય છે. તેનું કારણ? મૃતદેહ પીળે હોય છે. ગુરુ પાસે શિષ્ય ભણવા જાય છે ત્યારે તે મૃતદેહ જે થઈને જાય છે. તે ગુરુને કહે છે, આ દેહમાં કંઈ નથી. એને હવે જે ઘડ હોય તેવો ઘડો. પીળાં વસ્ત્ર તેનાં પ્રતીક છે. પ્રથમ ઉપદેશગુરુ તેને શરૂઆતમાં જ કહે છે, यानि वंद्यानि कर्माणि, तानि सेवितम्यानि જો તપા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034995
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorRavishankar Maharaj
PublisherBalgovind Kuberdas Co
Publication Year1955
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy