SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સરસીક જીવન બનાવ્યું, સંસારના બંધનમાં સપડાવાથી મત્સાહ થયેલા આત્માઓને અનંત ઉત્સાહ અર્પનાર તપ, જપ, પૂજા, ઇંદ્રિયદમન, ઉપવાસ વિગેરેને માટે આ વૃત્તિ દેખાડવી એ ભવાભિનંદીને વટાવી જનારી અને ભાવના નહિં તે બીજું છે શું? “આપણી અહિંસાએ આપણને ડરપેક અને ભિર બનાવી દીધા છે. આપણું અહિંસા, ઔજસ વિનાની અને નિર્વિર્ય દેખાય છે. x x x x આપણા ધર્મ અને અહિંસાની સમજણમાં તારિક ફેરફાર થવાની ખૂબ જરૂર છે. આપણે સંસારથી ભાગવાનું નથી, પણ સંસારની વચ્ચે ઉભા રહીને લડવાનું છે. આપણાં શરિર અને મનને સૂકવી નાંખવાનાં નથી x x x x x x અહિંસા માત્ર પ્રાણ હાનીથી ભડક્યા કરવામાં રહેલી નથી.” જે જેને અહિંસાના મહાસિદ્ધાન્તમાં અનેકાનેક આત્માઓએ પિતાનું જીવન સમપ્યું અને સફળ કર્યું. જે અહિંસાએ લેહીની વહેતી નદીઓ બંધ કરી. જે અહિંસાએ અનેકને નીતિનો મહામાર્ગ સુલભ કર્યો. જે અહિંસાથી અનેક જૈનેતરે પણ મુગ્ધ બન્યા, તે જૈન ધર્મના મૂળ પાયારૂપ અહિંસા તત્વ ઉપર આમ કુહાડો મારી શા માટે પરમાનંદ ધમપછાડા કરે છે, એ વાંચકાએ વિચારી લેવું. અમને તે જણાય છે કે પરમાનંદને હિંસા પરના અંકુરા કુટયા હેય અને જૈન સમાજમાં અહિંસા તત્વ અનેકવિધ વિકાસ પામેલ હોઈ તેમને જનસમુહ તરફની પોતાને લાગતી ડરતાને બદલે અહિંસા જ ડરપોક કરતી જણાય છે ! વાંચક! એમનામાં તત્કાતત્વની સમજણની જરાયે ગંધ પણ જણાય છે કે? આજે આપણે આરોગ્ય પ્રાપ્તિ અને બળવૃદ્ધિને વિચાર કરીએ છીએ. + + + + નિરામિષ આહારની કટિમાં અનેક દ્રવ્યો છે. જેની આરોગ્ય અને પોષણની દ્રષ્ટિમાં આપણે છૂટથી પસંદગી કરીએ છીએ, પણ આપણા ધાર્મિક ખ્યાલોથી આપણી પસંદગીનું ક્ષેત્ર બહુ મર્યાદિત બની ગયું છે. આ વિષયની લાંબી ચર્ચામાં ઉતરવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034991
Book TitleParmamand Kutark Samiksha
Original Sutra AuthorN/A
AuthorVijaybhadrasuri, Jainakvijay
PublisherBhogilal Karamchand Shah
Publication Year1936
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy