SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ધમધચંથમાળા : ૨૨ : પુષ ચોરીના સ્વરૂપને વિચાર કરીએ તે માલમાં સેળભેળ કરવી કે સાચાને બદલે નક્કી માલ આપે તે પણ એક પ્રકારની ચેરી જ છે. દૂધમાં પાણી નાખવું, આટામાં ચાક ભેળવ, ઘીમાં વેજીટેબલ ઉમેરવું, તલના તેલમાં મગફળીનું તેલ નાખવું, સારાં અનાજમાં હલકાં અનાજને ભેગા કર, કેસર-કસ્તૂરી–અંબર-કપૂર વગેરે કિંમતી પદાર્થો નકલી બનાવીને આપવા, ઔષધને તાજાં કહીને વાસી આપવા, સેનાનાં ઘરેણું કહીને પિત્તળનાં ઘરેણાં પધરાવી દેવાં, વગેરે પણ ચેરી જ છે, કારણ કે તેથી બીજી વ્યક્તિનું ધન તેની ઈરછા વિના લઈ લેવાય છે. ખેતી, વેપાર-ઉદ્યોગ કે હુન્નર-ધંધા વગેરે માટે રાજ્ય જે સગવડ અને સલામતી આપે છે, તેના પેટે આવકને અમુક ભાગ લેવાને તે હક્કદાર છે; પછી એ ભાગ સીધે લે કે કરવેરારૂપે વસુલ કરે. આ ભાગ આપવાના અખાડા કરવા કે યુક્તિ-પ્રયુકિતઓ અજમાવીને તેણે નાખેલા કરવેરા ન ભરવા, તે પણ એક પ્રકારની ચોરી જ છે. શાસ્ત્રકારે તે ત્યાં સુધી કહે છે કે “રાજ દંડ ઉપજે તે ચોરી. એટલે જે કામ કરવાથી રાજાને દંડ કરવો પડે, તે બધાને સમાવેશ ચોરીમાં થાય છે. આ ઉપરાંત બેટાં તેલ અને ખોટાં માપ રાખવાં એ પણ એક પ્રકારની ચોરી જ છે. કેટલાક લેવાના કાટલામાં નીચે સીસું ચટાડી તેને વધારે વજનદાર બનાવી દે છે અને એ રીતે ગ્રાહકોને છેતરીને તેની પાસેથી વધારે માલ લઈ લે છે તથા આપવાના કાટલાને નીચેથી ખોદી નાખીને તેને ઓછાં વજનનું બનાવી દે છે અને એ રીતે ગ્રાહકને ઓછો માલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034986
Book TitlePaapno Pravah
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMukti Kamal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy