SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ * પુષ્પ ધર્મબોધચંથમાળા : ૮ : શિકાર કરે છે. અહ ! આવા અન્યાયી લેકને કોણ સમજાવી શકે ? અથત નિર્દોષ પશુઓને શિકાર કરે એ ભયંકર અન્યાય છે. કેટલાક મનુષ્ય પોતાની ઉદરપૂર્તિ માટે પંચંદ્રિય પ્રાણીએની કત્વ કરે છે અથવા તેમનું માંસ વાપરે છે. આવા મનુષ્યએ એ વિચારવું ઘટે છે કે-આ જગતમાં અનેક પ્રકારનાં ફલ-ફૂલે તથા વનસ્પતિજન્ય પદાર્થો મજુદ છે, તે પંચેંદ્રિય પ્રાણીઓને વધ શા માટે કરે ? જો એમ માનવામાં આવતું હોય કે માંસાહારથી વધારે પુષ્ટ થવાય છે, તે એ માન્યતા વૈજ્ઞાનિક તથ્યથી વેગળી છે અને ગતાનુગતિકતાથી ચાલે છે, કારણ કે માત્ર વનસ્પતિનું ભક્ષણ કરનારા હાથી, ઘોડા, બળદ વગેરેમાં ઘણું બળ હોય છે અને કેવળ વનસ્પતિના આહાર પર રહેનારા પહેલવાનેએ માંસાહારી પહેલવાનેને કુરતીના મેદાનમાં અનેક વાર હરાવેલા છે. કેટલાક મનુષ્યો એમ માને છે કે-માછલાં એ તે જળ3ડી છે એટલે કે જળની વનસ્પતિ છે, માટે તેનું ભક્ષણ કરવામાં શું વાંધો ? પરંતુ તેમની એ માન્યતા ભૂલભરેલી છે. માછલાં એ પંચેંદ્રિય જલચર પ્રાણી છે અને તેને પણ અન્ય પ્રાણુઓ જેટલી જ સુખ–દુઃખની વેદના હોય છે, તેથી તેને શિકાર કરે અને તેનાથી ઉદરપૂતિ કરવી એ કઈ પણ રીતે ઉચિત નથી. કેટલાક મુગ્ધ મનુષ્ય એમ માને છે કે પ્રાણુઓને જાતે મારીએ અને તેનું માંસ વાપરીએ તે પાપ લાગે પણ બીજા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034986
Book TitlePaapno Pravah
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMukti Kamal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy