________________
સ્સાત્રસ ગ્રહ ]
૪૯
આપ્યું. તેના પ્રતિદિનના પઠન-પાઠનથી તેમજ તે તેાત્ર દ્વારા મંત્રિત જળથી મરકીના ઉપદ્રવ શીઘ્ર નાશ પામ્યા. આ સ્તાત્ર ઉભય સમય ભણવાથી શાકિણી, ડાકિણી ચા તા ભૂતપ્રેતાદિના ઉપદ્રવ નાશ પામે છે, મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને ચિત્ત માનમગ્ન જ રહે છે.
*
श्री लघुशान्तिस्तव
આ સ્તાત્રના કર્તા શ્રી પ્રદ્યોતનસૂરિના શિષ્ય અને તપાગચ્છના ઓગણીશમા પટ્ટધર શ્રી માનદેવસૂરિ છે. મારવાડમાં આવેલ . નાડાલ નગરમાં તેમનેા જન્મ થયેા હતેા. બાલ્યાવસ્થામાં જ શ્રીપ્રદ્યોતનસૂરિ પાસે સયમ સ્વીકાર્યુ હતુ. તેમના વિશુદ્ધ બ્રહ્મચર્યપાલનથી જયા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની ચાર દેવીએ તેમની સાનિધ્યમાં રહેતી હતી. એકદા બન્યુ એમ કે જ્યારે તેમને આચાય પદ આપવાના મહાસવ કરવામા આવ્યા ત્યારે તેમના બ્રહ્મતેજથી આકર્ષાઇને આવેલ બે દેવીઆને ગુરુમહારાજે શ્રી માનદેવસૂરિના ખભા પર રહેલી નીહાળી. આ દૃશ્ય જોઈ ગુરુનું મન કંઈક ખિન્ન બની ગયું. તેમણે વિચાયું કે-દેવીસહાયથી માનદેવને અભિમાન આવી જશે અને તેને અ ંગે નિરતિચાર ચારિત્ર પાળી શકશે નહિ. હ્રષ્ટદાયક પ્રસંગે ગુરુને ગ્લાનિ અનુભવતાં જોઇ વિચક્ષણ માનદેવ તેનુ કારણુ કળી ગયા અને ત્યાં ને ત્યાં જ ગુરુના મન–સ તેાષાથે માંથી એક પણ વિગય ન વાપરવાના નિયમ કર્યાં.
ન
તેમના શાસન દરમિયાન તક્ષશિલામાં ( ઢાઈ સ્થળે શાકભરી નગરી જણાવેલ છે) મહામારીના વિષમ ઉપદ્રવ થયા. તક્ષશિલાના પ્રજાજના ત્રાસી ઊઠ્યા. પ્રતિદિન એટલા બધા મૃત્યુ થવા લાગ્યા કે તેને અગ્નિસંસ્કાર કરનાર પણ પૂરા ન મળે. નગરી માખી દુર્ગંધમય બની ગઈ. આ ઉપદ્રવના પ્રતિકાર કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com