SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ * [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ શકે તે કઈપણ શમ્સ નજરે ન ચઢવાથી છેવટ શ્રી સંઘ એકત્ર થ અને સહુની મીંટ નાડોલ નગરમાં ચાતુર્માસ રહેલા શ્રી માનદેવસૂરિ પર મંડાઈ. સંઘે વિનંતિપત્ર સાથે માણસ રવાના કર્યો અને સર્વ વિગત જણાવી. શ્રી માનદેવસૂરિએ તરત જ શ્રી agશારિત સ્તવની રચના કરી આપીને કહ્યું કે-“આ સ્તોત્રદ્વારા મંત્રિત કરેલ જળથી આખી નગરીને પ્રદક્ષિણા દેવી અને દરેક વ્યક્તિએ આ તેત્રનું પ્રતિદિન સ્મરણ કરવું. આમ કરવાથી ઉપદ્રવ શીધ્ર શાન્ત થઈ જશે, પરન્તુ હવે તમારે સર્વેએ જેમ બને તેમ તાત્કાલિક આ નગરીને ત્યાગ કરી જ.” તે તેત્રના પ્રભાવથી મરકી શાંત થઈ અને પ્રજાજનોએ તે નગરી તજી દીધી. ખરેખર ગુરુકથન સાચું નીવડતું હોય તેમ ત્રણ વર્ષ બાદ તુર્કીઓએ આ પ્રાચીન ને વિશાળ તક્ષશિલા નગરીને વિનાશ કર્યો. આ લઘુશાંતિ સ્તવમાં પોતાની સાનિધ્યવાળી ચારે દેવીઓના નામ-ગુંથનપૂર્વક શ્રી શાંતિનાથ પરમાત્માની સ્તુતિ તેમજ મંત્રાક્ષની સરસ ગુંથણી કરવામાં આવી છે. આ ચમત્કારિક સ્તોત્રને દૈવસિક પ્રતિક્રમણમાં દાખલ કરવામાં આવ્યું છે અને દરરોજ પ્રાંતે તે બેલાય છે. આ જ પ્રભાવિક આચાર ત ત્ત' નામનું બીજું પ્રભાવપૂર્ણ સ્તોત્ર પણ રચ્યું છે. नमिऊण (भयहर) स्तव આ સ્તોત્રના કર્તા છે શ્રી માનતુંગસૂરિ છે. તેઓ શ્રી લઘુશાંતિ અને તિજયપહુરના કર્તા ઉપર્યુક્ત શ્રી માનદેવસૂરિના શિષ્ય અને તપગચ્છના વશમા પટ્ટધર છે. તેઓએ પહેલાં તે દિગંબર સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી. કેઈ સુયોગ્ય પ્રસંગે તેની બહેને તેને પ્રતિબંધી કતાંબરાચાર્યને સમાગમ કરાવ્યું અને તેમની પાસે તેમણે અનેક વેતાંબરી દીક્ષા સ્વીકારી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy