SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચાત્તાપ ને પરિણામ ૧૭ માનવજાતને પણ હૃદય તે હેય છે. ભલે તે કઈ વખત કઠેર કે ફૂર બની જાય પણ તેના એકાદા પ્રદેશમાં કોમળતાને ધીમે ઝરે વહેતે હેય છે. પિતાના સ્વામી વિરકુવદની દીવાની હાલતના સમાચાર વનમાળાને પહોંચ્યાં. તેને પિતાના પ્રેમાળ પતિના આવા વિશ્વાસઘાત માટે સ્વજાત પ્રત્યે તિરરકાર વછૂટ. તેની મેહાંધ નજરમાં જ્ઞાન-તેજનું આખું કિરણ પ્રકટયું. તેને પિતે કરેલ આચરણ માટે પશ્ચાત્તાપ થવા લાગ્યો, ઊંડે ઊંડે હદયમાં ડંખ ઉપ પણ હવે તે પરાધીન હતી. સમાજની નજરે તે પતિતા ગણાઈ ચૂકી હતી. આ ઉપરાંત તે એવા સુવર્ણ પિંજરમાં પૂરાઈ હતી કે ત્યાંથી સહેલાઈથી છૂટકારો મેળવાય તેમ નહતું. યથેચ્છ ભેગવિલાસે માણવાની પહેલાની પ્રબળ ઈચ્છા હવે પશ્ચાત્તાપમાં પલટાવા લાગી. વિરકુવદના ચરણમાં પડી પતાના અપરાધની માફી માગવા મન થયું પણ પિતાની નિરાધાર સ્થિતિમાં તે વીરકુવડ પાસે જઈ પૂર્વવત્ પિતાનો સંસાર શરૂ કરી શકે તેમ નહોતું. આમ છતાં તેનામાં એટલું પરિવર્તન થયું કે-રાજા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈગયો, નૂતન ભોગવિલાસ ભયંકર લાગવા લાગ્યા અને વૈભવી મહેલ તેને ભૂતાવળ જે જણાવા લાગે. જે વનમાળા પહેલા સુમુખ રાજવી પ્રત્યે સનેહભરી નજરે નીહાળતી તેને બદલે હવે રાજવી તેને આંખના કણાની માફક ખૂંચવા લાગ્યો. સુમુખ રાજવીને પણ વનમાળાનું પરિવર્તન જણાઈ આવ્યું. ભાગ્યાનુગે તેને તેમાં વનમાળાને બદલે પિતાને જ દેષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy