SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર જેમ ચકવાક ચક્રવાકીને ઝંખતે તેની શેધમાં અહીંથી તહીં ચોમેર ભટક્યા કરે તેમ વિરકુર્વેદ પણ હવે પિતાની ઝુંપડીને ત્યાગ કરી કૌશામ્બી નગરીની ગલી અને શેરીઓમાં પરિભ્રમણ કરવા લાગે. “વનમાળા...વનમાળા” ના રટણ સિવાય તેને બીજું કઈ કર્તવ્ય ન રહ્યું. તે દિવાના જેવો જ બની ગયે. તેની આવી સ્થિતિ જોઈપરિજનેને કોણ ઉપજતી પણ તેનું દુઃખી જીવન જેવા છતાં રાજાના ભયથી તેને કોણ સહાય કરે? તેણે પિતાના કેશને છૂટા મૂકી દીધા,વસ્ત્રના ટુકડે ટુકડા કરી નાખ્યા, ગળામાં માળા નાખી અને યોગી જેવી કફની ધારણ કરી એક ભ્રમિતની માફક “વનમાળા” ના નામને પિકાર પાડતે વિરકુવીંદ ચૌટાઓ અને માર્ગોને વિષે ભમવા લાગ્યો. હવે તે તેને પિતાના ખાસ ઘર જેવી કઈ વસ્તુ રહી નહોતી એટલે કઈ વખત ઉદ્યાનમાં તે કઈ વખત કૂવાકાંઠે, કોઈ વખત મંદિરના પડથાર પર તે કઈ વાર શ્મશાન યા તે શૂન્યગૃહમાં તે પડી રહેતે. લેકને તેની આવી કંગાળ સ્થિતિ પરત્વે ઘણી કરુણા આવતી પરંતુ તેની ઉદરપૂર્તિ માટે અન્ન આપવા સિવાય બીજી કંઈ સહાય આપવાનું તેમનામાં સામર્થ્ય ન હતું. વીરકુવદના મનમાં વનમાળા સિવાય બીજું કઈ રટણ જ ન હતું તે પિતાની સુધા યા તૃષા શાંત કરી પાછે “વનમાળા” નામને પોકાર પાડવાને વ્યવસાય લઈચાલી નીકળતું. કેટલાક વિચક્ષણ પુરુષે તેને સમજાવવા પ્રયત્ન કરતાં, તેને આશ્વાસનના બે શબ્દો કહેતાં પણ તેના હદયમાં રહેલ વનમાળા-પ્રાપ્તિની જવાળા આવા ઉપરછલાં આશ્વાસનેથી શાંત ન જ થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy