SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ ૧૩૭ લેવાની વૃત્તિ અંદરથી ઉછાળા મારી રહી હતી અને બીજી બાજુ સુવ્રતાચાર્યને હેરાન કરવાનું કે તિરસ્કાર કરવાનું કાર્ય સુગમ નહતું. આ સ્થિતિમાંથી માર્ગ કાઢવા તેણે પિતાની બુદ્ધિને ચકાસી અને તેને પરિણામે પિતાના થાપણ તરીકે મૂકેલ “વરદાનનો ઉપયોગ આ સમયે કરવાનું સૂઝયું. ઉચિત અવસર જોઈ નમુચીએ મહાપદ્મ ચકવરીને વિજ્ઞપ્તિ કરી કે “ હે રાજન ! પૂર્વે આપે મને “વર” માગવા કહ્યું હતું પરંતુ “ અવસરે માગીશ” એમ જણવીને મેં તે આપની પાસે અદ્યાપિ પર્યન્ત થાપણ તરીકે રહેવા દીધા છે. આપ મને અત્યારે તે વરદાન આપે.” મહા ત્મા લોકો કદી વચનભંગ કરતા નથી એટલે મહાપદ્મ ચકવર્તી એ વરદાન માગવા કહ્યું ત્યારે નમુચીએ જણાવ્યું કે-“હે રાજન ! મારે એક યજ્ઞ કરવો છે. તે યજ્ઞ પર થાય ત્યાં સુધી મને આપનું રાજ્ય આપ.” ચકવર્તીએ તે કબૂલ રાખ્યું એટલે કપટી નમુચીએ યજ્ઞારંભ કર્યો. તેને કલ્યાણભિષેક અભવ્ય પુરુષોને ઉપર કહેલી ૧૦ લબ્ધિઓ કે જે ભવ્ય સ્ત્રીઓને નથી હોતી તે ઉપરાન્ત કેવલીલબ્ધિ, ઋજુમતિ મન:પર્યવજ્ઞાનલબ્ધિ અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાનલબ્ધિ એ ત્રણ લબ્ધિઓ પણ હેય નહિ તેથી તેમને (અભઠ્ય પુરુષોને) ૧૩ લબ્ધિઓ સિવાયની બાકીની ૧૫ લબ્ધિઓ હોય છે અને એ ૧૩ ઉપરાંત આશ્રવલબ્ધિ (મધ્વાદિ આશ્રવલબ્ધિ) સહિત ૧૪ લબ્ધિ અભવ્ય સ્ત્રીઓને હેય નહિ તેથી એ સિવાયની ૧૪ લબ્ધિઓ અભવ્ય રીઓને હેય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy