SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કુતર્કોને નિકાલ, નજીવા કારણે ઉત્પન્ન થતા મતભેદને નિરાસ, અને સાત ક્ષેત્રની સારણના માર્ગો ખુલ્લાં થાય છે. પરદેશથી આવતા પિતાને સાંભળી તેના બાળકોને જે આનંદ થાય તેથી પણ સેંકડોગણે હર્ષ મુનિના આગમનથી ભક્તજનેને થાય છે. અને તેની દ્વારા તે અનેકગણું ધર્મદ્રઢતા મેળવી શકે છે. જે ધર્મજ્ઞાન પુસ્તકથી કે બીજા સાધનથી મળે તે જ્ઞાન કરતાં મુનિના દર્શન માત્રથી સેંકડોગણું વધારે મળે છે; કારણ કે મુનિના દર્શન અને પરિચય માત્રથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઝાંખી થાય છે. તેના રહસ્ય સમજાય છે. અને તેમાં શે આહાદ છે તે અનુભવાય છે. મુનિના આગમન વખતે થનાર પૂજા અને ઉત્સથી લોકોમાં ધર્મ સંગીત પ્રત્યેનું જ્ઞાન, તેમાં લખેલ રહસ્યનું ભાન, દેવનાં દર્શન, તેમને પ્રભાવ, ધર્મ પ્રત્યેને પ્રાદુર્ભાવ થતે પ્રેમ વિગેરેથી જનતામાં ધર્મરંગ ઉત્પન્ન થાય છે. તેમજ મુનિને વિહાર કરતાં લેકભાષા, લેકસ્વભાવ, લકોની રહેણીકરણ, લેકની પરંપરા, લોકોને ધર્મ પ્રત્યેને નેહ, કુદરતની નવીનતા, જિનમંદિરની યાત્રા અને નવીન જ્ઞાનનો વધારે થાય છે. ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા છતાં તેમાં અનુભવની આવશ્યકતા રહે છે. તે અનુભવ વિહારથી મુનિરાજોને ખૂબ મળે છે. આથી આ મહાપુ રૂષે પોતાના ટૂકજીવનમાં પણ સિદ્ધાચળ, ગિરનાર, તારંગાજી, આબુ, તલાજ, ભીલડીયા, મેત્રાણા, શંખેશ્વર, રાણકપુર આદિ પંચતીથી, પાનસર, ભેયી વિગેરે અનેક તીર્થShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034965
Book TitlePanyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKanakvimal
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1938
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy