SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના ગુહિલે : ૩ ઉતરી આવેલ ક્ષત્રિયે જ રાજા થવાને ગ્ય છે અથવા પૂજ્યતાને પાત્ર છે, એવા સંસ્કારે હિંદુઓના અંતકરણ ઉપર સ્મૃતિકારોએ, ઇતિહાસકારોએ અને પુરાણકારેએ એટલા બધા ઠસાવી દીધા છે કે તે સંસ્કારોથી કઈ વિરલ પુરુષ જ છુટો થઈ શકે. તેવી પરિસ્થિતિમાં કેવલ નિલેપ માનસથી તેવા ગંભીર વિષયની ચર્ચાનું શ્રવણ અને મનન કરવામાં જ જ્યારે આઘાત થત હોય, ત્યારે તેવી ચર્ચાને પુનઃ ઉપસ્થિત કરવાની હિંમત પણ કેણ કરી શકે? આ વિષયમાં રજપૂતાનાના સુપ્રસિદ્ધ વિદ્વર્ય ગૌરીશંકર હીરાંચંદ ઓઝાએ જે મંથન કર્યું છે, તે ખરેખર સ્તુત્ય અને મનનીય છે. પ્રાચીન લિપિમાલા જે દેશવિદેશના પંડિતોથી સત્કાર પામેલ હિંદુસ્થાનની દેશીય ભાષામાં અદ્વિતીય ગ્રંથ રચ્યા પછી, હાલમાં તેથી પણ વધારે ઉપયોગી તેમ જ વધારે મહત્ત્વને રજપૂતાનાને ઈતિહાસ તેઓ રચે છે. તે ઇતિહાસ માટે જોઇતી અસંખ્ય સામગ્રીઓનું સંશોધન અને સંગ્રહ કરવામાં જેમ જેમ સામગ્રીઓ પ્રાપ્ત થતી ગઈ, તેમ તેમ તેનું પૃથક્કરણ કરી, તેમાંથી સત્યાંશી શેાધી કાઢવામાં અને તે સત્યાંશો યથા સ્થાન ગોઠવવામાં તેઓએ પિતાના અખિલ જીવનને ભેગ આપ્યો છે. તેઓના જે સતત ઉઘોગી, હાથમાં લીધેલ વિષય ૬. મહાભારતના શાંતિપર્વના રાજધર્મના અધ્યાય ૫૯ માં રાજાની ઉત્પત્તિને ઇતિહાસ આપ્યો છે, તેમાં પૃથુરાજાને વિષ્ણુને અવતાર કહે છે, અને ક્ષત્રિય જ રાજ્ય કરવાને પાત્ર છે, એમ તે પ્રસંગે ઠરાવ્યું છે. અધ્યાય ૬૭માં કહ્યું છે કે જ્યારે પ્રજા બ્રહ્મદેવ પાસે રાજા માગવા ગઈ ત્યારે તેણે મનુને રાજા થવાની આજ્ઞા કરી. ત્યારથી મનુ અને તેના વંશજો (સૂર્યચંદ્રવંશ) રાજ્ય કરવાને યોગ્ય ગણાયા. પૂર્વમીમાંસામાં પણ રાના રસના નેતએ શ્રતિવિધાયક વાક્યમાં રાજા એટલે ક્ષત્રિય જ એ નિર્ણય કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034963
Book TitleMewadno Guhilo athva Guhilotpatti Mimansa
Original Sutra AuthorN/A
AuthorManshankar Pitambardas Mehta
PublisherManshankar Pitambardas Mehta
Publication Year1933
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy