SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ જન વિદ્યાર્થિ ગ્રંથમાળા વારસા વિનાને ગઈકાલને નાપિતાપિતા અને વેશ્યામાતા ને પુત્ર નંઇ, આજે મગધને સર્વસત્તાધીશ બની પાટલીપુત્રના રાજસિંહાસનને અધિષ્ઠાતા બન્યો હતે. પરિવર્તનશીલ સંસારમાં આ બધી વિચિત્રતાઓ સંકળાઈને રહી છે. વિચિત્રતા, વિષમતા અને ખાડાટેકરાની રીઢી રમત સમસ્ત સંસારમાં એક સરખી રીતે ચાલી રહી છે, નિવરસ ઉદાયીના મૃત્યુ પછી બીજા દિવસના મધ્યાહને જ્યારે નગરવાસી લોકોએ સાંભળ્યું કે- આપણા શહેરની કેક વેશ્યાને દીકરો રાજસિંહાસન પર આરૂઢ થયે છે ? ત્યારે ભલભલા ડાહ્યા ગણાતાઓની બુદ્ધિ બૂઢી થઈ ગઈ. સહુકે આ વાતને માનવાને માટે ઘડિભર ના પાડી દેતા. પણ હતે ભાગ્યશાળી, એનું પુણ્ય, ચેડા જ કલાકમાં ફળવાનું છે એવી એને હેલી હારે જ ખબર પડી ગઈ હતી. જે રાત્રી મહારાજા ઉદાયીનું મૃત્યુ થયું તે રાત્રીના છેલ્લા પ્રહરના સમયે નંદે એક ચમત્કારિક સ્વપ્ન જોયું હતું. એણે એ સવપ્નમાં સમગ્ર પાટલીપુત્રને પેતાને આંતરડાથી વીંટાયેલું દેખ્યું હતું. સવના ફલાદેશે અકળ હોય છે, એમ એ જાણતો હતે. કોક ઘડીપળે પોતાનું ભાગ્ય ઉઘડી જશે એમ એને ઘણવાર લાગ્યા કરતું. એ તરત જાગ્યો. સફાળે ઉડી, વહેલી સવારે નગર બહારની વાડીમાં જઈ એ ફૂલે ચૂંટી લાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com આ ઘડી, એમાં જઈએ
SR No.034959
Book TitleMantrishwar Kalpak
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy