SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. મલેચ્છપદ્રવ અને સંધરક્ષા. કમે વિહાર કરતા કરતા માર્ગમાં વારસિદાન નામના ગામની સમીપ સંઘે પડાવ નાખ્યો. બરાબર એજ સમયે પ્લેના આગમનના સમાચાર આવ્યા, ને સર્વત્ર ભયનું વાતાવરણુ ફેલાઈ ગયું. તેચ્છના ભયથી વ્યાકુલ બનેલ સંઘને સૂરિજીએ પૂછયું. “આપ લોકો આકુળવ્યાકુળ કેમ લાગે છે?” ત્યારે લોકેએ જણાવ્યું કે “હે ભગવન ! જુઓ, સામેથી તેની સેના આવી રહી છે. આ દિશામાં આકાશ ધૂળના ગોટેગોટાથી આચ્છાદિત બની ગયું છે. અરે, સાંભળો, સનિકેને કૈલાહલ પણ હવે તે સંભળાઈ રહ્યો છે. પ્રભો ! અમારી રક્ષા કરો.” પૂજ્યશ્રી એકદમ સાવધાન બન્યા અને કહ્યું “મહાનુભવે ! ધીરજ રાખો. આપના ઉંટ, બળદ આદિ બધાને એકત્ર કરી લે, પ્રભુ શ્રીજિનદત્તસૂરિજી મહારાજ સર્વની રક્ષા કરશે” ત્યાર બાદ સૂરિજીએ મંત્ર ધ્યાન પૂર્વક પોતાના દંડ વડે સંઘની ચારે કેર કેટની આકૃતિવાળી એક રેખા અંકિત કરી. સંઘના તમામ માણસે વિગેરે બધાએ તે કુંડાળામાં પેસી ગયા. એટલામાં તો ઑછ સેના આવી પહોંચી. અશ્વો પર આરૂઢ થએલા હજારે મ્લેચ્છ બાજુમાંથી જ પસાર થઈ ગયા, સંઘે તેને જોયા, પરતુ ઑછેસંઘને ન જોઈ શક્યા. તેઓ તો કેવળ કેટ પર નજર રાખી દરને દૂર આગળ ચાલી ગયા. આ તરફ સંઘ લેક નિર્ભય બની રહ્યા, ને ધીરે ધીરે સૌ દિલ્હી સમીપ આવી પહોંચ્યા. ' સૂરિજીના પધાર્યાને સંદેશ મળતાં જ દિલ્હીના ઠાકુર લેહટ, રા. પામ્હણ, સા. કુલચંદ્ર સા. મડીચંદ્ર, આદિ સંઘના અગ્રગણ્ય શ્રાવકે અત્યુત્કૃષ્ટ સમારોહ સાથે સૂરિજીની વંદનાર્થે આવી પહોંચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034958
Book TitleManidhari Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Derasar Trust
Publication Year1954
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy