________________
શૈર્ય બતાવનાર, અદ્વિત્ય આત્મબળ જનાર, અતલ ત્યાગ ધર્મ અંગીકાર કરી પરિષહના ઘા ખમનાર અનુપમ વૈર્ય વિર્ય પ્રકટાવનાર જે કઈ મહા પુરૂષ થયા હોય તે તે મહાવીર પ્રભુ છે. એમને નિર્વાણ પદ પામે આજે ૨૪૫ર વર્ષ થયાં છે. એમને જન્મ ક્ષત્રિયકુંડ નગરમાં સિધ્ધાર્થ રાજાની રાણી ત્રિશલાદેવીની કુખે થયે હતું. તેમની ૨૮ વર્ષની ઉમર સુધી તેમનાં માતા પિતા હયાત હતાં ત્યાં સુધી તેમની સેવા બજાવી, એક વર્ષ સુધી મોટાભાઈના આગ્રહથી અને એક વરસ વરસીદાન આપી ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહી ૩૧ મે વર્ષે એક ધર્મપત્નિ અને એક પુત્રીને મુકી, મોટાભાઈ નંદિવર્ધનની અનુજ્ઞા મેળવી, સંસારના અખિલ પદાર્થો ઉપરથી મોહ ઉતારી, જ્ઞાતખંડ વનમાં દિક્ષા અંગીકાર કરી નિગ્રંથ થયા. સાડાબાર વર્ષ અને એક પખવાડીઆ સુધી ઉગ્ર તપશ્ચર્યા, સતત ધ્યાનમગ્ન રહી છદમસ્થ પણે વિચર્યા. ત્યાર પછી ભિકાગામની બહાર, રૂજુવાલિકા નદીને કાંઠે, શામગાથા પતિના ક્ષેત્રમાં વૈયાવૃત્ય યક્ષના મંદીર પાસે સાલ વૃક્ષની નીચે છઠ તપ કરી ઉત્કટિકા આસન શુકલ ધ્યાન ધ્યાવતાં વૈશાક સુદ ૧૦ ના દિવસે એથે પહેરે વિજય મહત્વે ચાર ઘન ઘાતિ કર્મને સર્વથા ક્ષય કરી કેવલ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કર્યા. કેવળ જ્ઞાની થયા પછી સાધુ, સાધ્વી, શ્રાવક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com