SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ પદો ઉપરથી દ્વાદશાંગણી રચાઈ પણ આપણે એટલાથી માર્ગ પામી શકત? અત્યારે તે આપણે ભગવાન શ્રી મહાવીર પરમાત્માને ઉપદેશ શું છે, તેનો ટૂકે ખ્યાલ આપવાનો વિચાર રાખ્યો છે. એ તારકના જીવનને અંગે તે જેટલું કહીએ તેટલું ઓછું જ રહેવાનું એ તારકને ઉપદેશ પણ કલાક-સવા કલાકમાં કેટલાક કહેવાય? જે કે–એ તારકનો ઉપદેશ આમ તે ત્રણ પદોમાં પણ આવી જાય છે. ભગવાનના શ્રીમુખેથી ઉચ્ચારાએલાં માત્ર ત્રણ પદને સાંભળવાથી તે, ભગવાનના પટ્ટશિષ્ય કે જેમને ગણધરભગવાને કહેવાય છે, તેમને આખા જગતનું જ્ઞાન થઈ જાય છે. ૩ષ્યને વિમેદ વા અને પુર્વે વા –આ ત્રણ પદે ભગવાન બોલે અને ગણધરભગવાને સાંભળે એટલા માત્રથી ગણધરભગવાનને એવો તે ક્ષપશમ પેદા થઈ જાય છે કે–તેઓ માત્ર અન્તર્મુહૂર્તમાં જ દ્વાદશાંગીની રચના કરે છે, કે જેના બેલે શાસન ચાલે છે. એ ત્રણ પદેના શ્રવણ માત્રથી અહીં બેઠેલા બધા, ભગવાન શ્રી જિનેશ્વરદેવના ઉપદેશને સમજી શકે ખરા? નહિ જ, તેવું સામર્થ્ય આપણા કેઈમાં ય નથી. ભગવાને જે પદો કહ્યાં તે જ ત્રણ પદને કહીને ગણધરભગવાને જે વિરામ પામ્યા હેત અને દ્વાદશાંગીની રચના ન કરી હોત તે થાત? તે દ્વાદશાંગીને અવલંબીને બીજા મહાપુરૂષોએ જે રચના કરી છે, તે શાસ્ત્રરચનાઓ પણ જે આપણને ન મળી હોત, તે આપણું જેવાને માટે માર્ગની પ્રાપ્તિ દુર્લભ જ હતી ને? ભગવાને કહેલા ત્રણ પદે ઉપરથી શ્રી ગણધરભગવાનેએ દ્વાદશાંગીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034951
Book TitleMahavir Parmatmani Pratham Deshna
Original Sutra AuthorN/A
AuthorVijayramchandrasuri, Sudhanshuvijay
PublisherSureshchandra Nemchandra Shah
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy