SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ': ૧૧ : નહિ જ બની જાય. બલકે આવી વાતો મોઢેથી નિકળતાં જ ચારે બાજુથી એટલો વિરોધ થશે કે એને સહન કરે કઠિન થશે, મને નહિ તે કુટુંબીઓને જરૂર. આ બધી સમસ્યાઓની પૂર્તિ માટે મારે પિતાના જીવનમાં પર્યાપ્ત કાન્તિ કરવી પડશે. પણ એને સમય ક્યારે આવશે ? એ કાન્તિ હું કેમ કરીશ? કંઈ કહી શકતો નથી. મનમાં ને મનમાં બેચેની વધી રહી છે. (૪) આજ વનવિહાર ગયો હતો. વસન્તના ઉલ્લાસમાં બધા મસ્ત હતા. ઘડીભર હું પણ પિતાને નિશ્ચિત્ત જે અનુભવવા લાગ્યો, કે એટલામાં મારા રંગમાં ભંગ થયે. મારી નજર એક ઘાયલ આદમી પર પડી. એને માથેથી લેહી વહી રહ્યું હતું. હાથ-પગમાં પણ ઘા હતા. પીઠ સૂઝી ગઈ હતી. તે ઘણે છેટેથી લથડતો આવી રહ્યો હતો. અતે એની શક્તિએ જવાબ દઈ દીધે. તે મારા કીડાવનના ફાટકના એક કિનારે થાકીને પડી ગયે. હું તરત જ તેની પાસે પહોંચે. પૂછવાથી માલુમ પડયું કે એનું નામ શિવકેશી છે, જાતિને ચાંડાલ છે. કયાંક વેદનું પઠન થઈ રહ્યું હતું અને એના મનમાં વેદ સાંભળવાની ઈચ્છા થઈ આવી એટલે એ બહાર ઊભે ઊભે સાંભળવા લાગે. ચાંડાલના કાનમાં વેદના અક્ષરે ચાલ્યા જાય એ એટલું મેટું પાપ મનાયું છે કે એનું મસ્તક ઉડવું અને એને અંગ-અંગે ઘાયલ કર એ પુરતું પ્રાયશ્ચિત્ત નહિ! શિવકેશીએ એ પણ કહ્યું કે ઘણા બ્રાહ્મણેની ઇચ્છા તે એ હતી કે આ પાપના પ્રાયશ્ચિત્તમાં ચાંડાલના કાનમાં સીસું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034947
Book TitleMahavir Devno Gruhasthashram
Original Sutra AuthorN/A
AuthorSatyabhakta
PublisherMandal Jain Sangh
Publication Year1955
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy