SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) છતાં ભાવથી તે એ રૂષભદેવને પુજનારા એનું ધ્યાન ધરનારા હતા. ભારતને પુત્ર મરિચી ત્રિદંડી થઈ ગયું હતું. છતાં એ પણ રૂષભદેવનું ધ્યાન ધર જૈન સાધુઓની સેવા કરતો હતે રૂષભદેવનું શાસન લગભગ અર્ધઆરા પર્યત ચાલેલું. રૂષભનાથને થઈ ગયાં પચ્ચાસ લાખ કેટી સાગરેપમ કાળ વહી ગયો ત્યારે એમની જ પાટપરંપરામાં વિનિતા નગરીને વિષે બીજા અજીતનાથ તીર્થકર થયા. તેમની વખમમાં સગરનામે બીજા ચક્રી થયા. સગર ચક્રવત્તીનાજ જહૂનુકુમારાદિક સાઠ હજાર પુત્રો દેશાટન કરવા નિકળેલા, તેઓ ફરતા ફરતા અષ્ટાપદ પર્વતની પાસે આવ્યા. અષ્ટાપદની યાત્રા કરતાં એનાં ભવ્ય મંદિરે જેઈપિતાના પૂર્વજની કીર્તિનું રક્ષણ કરવા માટે એમણે અષ્ટાપદ પછવાડે દંડરત્નથી ફરતી ખાઈ કરી. અને ગંગાનું પાછું એમાં વાળ્યું. એથી ભુવનપતિના નાગકુમારના ભુવનમાં ખળભળાટ થવાથી નાગકુમારના ઈ–ભૂતાને દ્ર પિતાની દષ્ટિ–જવાળાથી બાળી ભસ્મ કર્યા. તીર્થ ભક્તિ કરતાં મરણ પામેલા એ સગર રાજાના પુત્રે બારમા દેવલોકે ગયા. ગંગાના પ્રવાહથી ગામ અને નગરને નુકશાન થવાથી સગરે પિતાના પિત્ર ભગીરથકુમારને આજ્ઞા કરી. ભગીરથકુમારે ત્યાં જઈ ભૂતાને પ્રસન્ન કરી જાન્હવીને પાછી સમુદ્ર સાથે મેળવી દઈ લેકેનું સંકટ દૂર કર્યું. ત્યારથી ગંગા એ જાન્હવીને કે ભાગીરથી નામે ઓળખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy