SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) કુણાલ હતો. કુણાલને જન્મ આપતાંજ એની માતા મરણ પામી હતી. જેથી કુણાલપુત્ર ઉપર મહારાજની અતિ કૃપા વરસતી હતી. રાજ્યને વારસ કુણાલ હોવાથી બાલ્યાવસ્થામાં જ મહારાજે કુણાલને યુવરાજ પદવી આપી દીધી. એ દીર્ઘ દશ મગધેશ્વરે વિચાર્યું કે, “હું રાજ્યવ્યવસાયમાં પડેલ હોવાથી આ નમાયા કુંવરની સંભાળ રાખી શકીશ નહી. આ બાળક રાજ્યને વારસ હોવાથી સાવકી માતાઓને આંખમાં કણાની માફક ખૂંચતો હશે. અને કદાચ એ સમયની જ રાહ જોતી હશે તે મારી ગફલતીનો લાભ લઈ રખેને બાળકના જીવનને વિનવર કરે ! માટે એ સાવકી માતાએથી પુત્રને દૂર રાખવે જોઈએ. ” ઈત્યાદિક વિચાર કરીને અશક રાજાએ કુણાલને ચતુરંગી સેના સહીત અને વિશ્વાસુ પ્રધાન સાથે ઉજજયિની મોકલી આપે. દેવતાની માફક કીડા કરતાં યૂવરાજ કુણાલ અવંતીમાં રહીને સુખપૂર્વક પિતાને કાલ નિર્ગમન કરતા હતા. એ યુવરાજ ઉપર નિયમિત રીતે સમ્રાટ પોતાના હાથથી કાગલ લખીને એની તરફનું પોતાનું હાલ બતાવતો. આજ કેટલાય વર્ષોથી કુણાલ અવંતિમાં કાલ નિર્ગમન કરતો હતો, અનુકમે એની ઉમર આઠ વર્ષની થઈ. કુમારની ભણવા ગ્ય ઉમર થવાથી પ્રધાનએ મગધે. શ્વરને કુંવરની હકીકત લખી જણાવી ખુશી ખબરના સમાચાર આપ્યા. –એ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy