SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જ જવાબદારી માણસના પિતાના ઉપર જ નાખે છે—Existential philosophyની નજીકમાં નજીક જઈને. यथा मृत्पिडतः कर्ता कुरुते यद् यद् इच्छति । एवम् आत्मकृतं कर्म मानवः प्रतिपद्यते ॥ .... આભત ર્મનું ફળ જ આત્માને મળવાનું ને નડવાનું! કૃવિંદ એને કેવો હાથમાં આવ્યું છે એ બાબત એ પરવશ છે, પણ હાથમાં આવેલ મૃપિંડમાંથી ધારે તે ઘાટ ઘડવાની એને છૂટ છે. (Limited responsibility and Limited freedom). અને અંતે પરિસંવાદને ઉપસંહાર કરતાં સ્ત્ર કહે છેઃ एवं नाहं न वै मृत्युः न सो न तथा भवान् । न चेयं ब्राह्मणी वृद्धा शिशुरेवात्र कारणम् ॥ “આમ પ્રત્યેક જન્તુ પિતાના કર્મ પ્રમાણે જ ફળ મેળવે છે એ જાણીને, હે યુધિષ્ઠિર, તું શક ન કર,” ભીષ્મ ઉપસંહાર કરે છે. અને સહેજ પણ વિચારતાં કણ કબૂલ નહિ કરે કે ભીષ્મ આ રીતે હણાઈને શરશય્યા પર મૃત્યુ પામ્યા એને માટે પણ ભીમ જાતે જ જવાબદાર હતા. જે દુર્યોધનને તે દબાવી શક્યા હતા, જે તે તેને ત્યાગ કરી શક્યા હોત, જે તે યુદ્ધથી અલગ રહી શક્યા હોત (બળદેવની પેઠે) અથવા છેક છેલ્લી ઘડીએ (યુયુત્સુની પેઠે) પાંડવ-પક્ષમાં જઈ શક્યા હોત, તે તેમની દશા આવી ન થાત! પણ શક્ય એવા એક પણ વિકલ્પને તેમણે અમલમાં ન મૂક્યો અને જે માર્ગ નિશ્ચિત મૃત્યુ તરફ જ લઈ જતો હતો તે માર્ગે જ તેઓ ગયા. વ્યાસજી લખે છે કે ભીષ્મનાં આ વચને સાંભળીને યુધિષ્ઠિર વિપતિક્વ થયે (ડીવારને માટે!)–અને પછી ભીષ્મ પિતામહને તેણે પ્રશ્નો પૂછવા માંડ્યા. ૨૬૬. મૃત્યુંજય? યુધિષ્ઠિરને પહેલો પ્રશ્ન ઘણે જ નોંધપાત્ર છે. ચમત્કારિક અને વિચિત્ર પણ ગણી શકાય. જીવનધર્મની ભીમની અથવા ભીમના જમાનાની અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy