________________
પણ એને જશ મને નથી, મારા પ્રેમળ અને કાર્યકુશળ મિત્રોને છે. એમને ઉલ્લેખ પહેલા ભાગના નિવેદનમાં હું કરી જ ગયે છું છતાં એક વાર ફરીથી કર્યા વગર રહી શકતું નથી. બધાંયનાં નામો ગણાવવા નથી બેસતે, (જો કે મારા હૃદયમાં તે બધાંયને નામે લેખ છે) પણ આઈડિયલ હાઈસ્કૂલના આચાર્યશ્રી નગીનભાઈ સંથેરિયા, મીઠીબાઈ કોલેજના આચાર્યશ્રી અમૃતલાલ યાજ્ઞિક હજાર જાતનાં પારમાર્થિક લફરાં લઈને ફરતા મારા જુવાન મિત્ર શ્રી હિંમત ઝવેરી, મારાં અધ્યાત્મરંગી બહેન અ.સૌ. શ્રીમતી ઈન્દુબહેન તથા રમણીકભાઈ શાહ, મારા મમતાળુ મિત્ર શ્રી છગનભાઈ વસા, અ.સૌ. પલ્લવીબહેન તથા શ્રી જશુભાઈ, શ્રી લક્ષ્મી પટેલ વસવાળા શ્રી કાન્તિભાઈ શાહ, શ્રી હરિભાઈ રાચ્છ, શ્રી પરમાનંદ ગણુત્રા–અને હું પણ જેમને મુરબ્બી કહી શકું એટલી મોટી ઉંમરના હોવા છતાં કોઈ જુવાનને પણ અનુકરણ કરવાનું મન થાય એટલી સ્કૃતિથી દેડાદેડ કરતા શ્રી ઈન્દુભાઈ દેસાઈ. અને શ્રી કાનજીભાઈ પરમાર, શ્રી ડાહ્યાભાઈ કોટક અને શ્રી રતિભાઈ ખેતાણી તે મારા હાથપગ જેવા જ,
. છેલ્લે ગુજરાત સરકારના માહિતી ખાતાના સંચાલક શ્રી ચંદ્રશંકર શુકલને કૃતજ્ઞ ઉલ્લેખ કરીને વિરમું છું.
પણ વિરમતા પહેલાં એક વાતને ખટકે મનમાં રહી ગયો છે તે વ્યક્ત કર્યા વગર રહી નથી શક્તો.
જેમને આ ત્રણેય ભાગે અર્પણ કર્યા છે તે મારા મુરબ્બી સન્મિત્ર શ્રી મનુ સુબેદારના નામની આગળ આ ભાગને અર્પણ વેળાએ “સ્વ.” મૂકવું પડયું છે. આ પુસ્તક પ્રગટ થાય ત્યાં સુધી વિધાતા જ વાટ જોઈને ઊભા રહેવાને હતો ! પણ આ પ્રકાશન બેક મહિના વહેલું જરૂર થઈ શક્યું હોત, સહેજ વધુ પરિશ્રમ કર્યો હતો તે પણ આવું જ નામ સૈવે વૈવાત્ર વજનમ !
૧–૧૨–૭૨
કરસનદાસ માણેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com