________________
“જુઓ તે ખરાં, માજી, સુભદ્રાને પુત્ર અભિમન્યુ, ને તમારા બીજા પૌત્ર-ક્યાંય દેખાય છે ખરા ?”
આમ છાતી ફાટ વિલાપ કરતી દ્રૌપદીને જમીન પરથી ઉઠાડીને કુન્તી તેને ગાંધારી પાસે લઈ જાય છે અને ગાંધારી તેને આશ્વાસન આપવાની ચેષ્ટા કરતાં કહે છેઃ “આપણા બેમાંથી કોણ કોને આશ્વાસન આપે દીકરી ?”
यथैवाहं तथैव त्वं, को नौ आश्वासयिष्यति । અને પછી આ આખાયે વિનાશકાંડની જવાબદારી પિતાને માથે ઓઢી લેતાં ઉપસંહાર કરે છે કે,
ममैव अपराधेन कुलमिदं विनाशितम् । “મારા જ અપરાધે આ વણસ્યું કુલ ઉત્તમ!”
એક રીતે જોઈએ તો આ વાત સંપૂર્ણ સાચી છે. અંતે તે માતા જ પિતાનાં સંતાનના ભાગ્યની વિધાત્રી છે ને!
૨૫૦. ગાંધારીનો શાપ
દ્રૌપદીને આવી વિલક્ષણ રીતે આશ્વાસન આપી રહેલી ગાંધારીએ આ પ્રસંગે કુરુક્ષેત્રની સમગ્ર રણભૂમિ નિ વક્રુષા દીઠી. પોતાની આંખોની સામે બની રહેલી ઘટનાઓને પણ જવાને જે નારી ઈન્કાર કરતી હતી (પતિ અબ્ધ હોવાને કારણે પિતાની આંખે પાટા બાંધીને), તે જ નારીએ કૃષ્ણ દ્વૈપાયનને વરદાન વડે દૂરદૂરની આખીયે રણભૂમિને, એ જાણે આંખની સામે જ હોય એવી સ્પષ્ટ અને સુરેખ રીતે દીઠી. (આ “દિવ્યચક્ષુ? એ શું હશે? વ્યાસજીએ પોતાની કવિત્વમયી ભાષામાં રણભૂમિનું વર્ણન કર્યું હશે ? અને રણભૂમિ ગાંધારીને પ્રત્યક્ષવત દેખાઈ હશે ? કે પછી શેકમાં જ કોઈ એવી અનોખી શક્તિ છે, કે જેમને શેક કરતાં હોઈએ તે બધાંને તે આંખોની સામે તાદશ્ય સ્વરૂપે ઝુલાવે! અહીં યાદ રાખવું જોઈએ કે સંજયને પણ વ્યાસજીએ “દિવ્યદૃષ્ટિ'નું પ્રદાન કર્યું હતું.)
રણભૂમિના જુદા જુદા બધા ય પ્રદેશો પર ગાંધારી ફરી વળી. શ્રીકૃષ્ણ આ બધે વખત તેની સાથે ને સાથે જ હતા. તેની પુત્રવધૂઓ તેમ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com