________________
સૌનું કલ્યાણ થાય એવો સંકલ્પ કરીને અશ્વત્થામાએ પ્રગટ કરેલ એ લેકભક્ષક અગ્નિના નિવારણ અર્થે પોતાની પાસેના દિવ્યાસ્ત્રનો પ્રયોગ કર્યો.
આ દિવ્યાસ્ત્ર શું હશે અને શું નહિ હોય તે વિશે આપણે કશું જ જાણતા નથી. પણ એક વાત નિર્વિવાદ કે અત્યારના અણુબોંબને એ કલ્પના પ્રદેશને પૂર્વ જ તે છે જ. એવી પ્રચંડ સંહારક શક્તિ અર્જુનના જેવા સંયમી અને નારાયણપરાયણ આત્માના હાથમાં હોય અને અશ્વત્થામા જેવા હીન અને હિંસાનંદી વિકૃત પ્રકૃતિવાળા કોઈ માણસના હાથમાં હોય એ બેના પરિણામમાં આકાશપાતાળ જેટલું અંતર છે. અશ્વત્થામા જે એને પ્રયોગ કેવળ પિતાના અંગત રાગદેપને સંતોષવા માટે કરે, જ્યારે અર્જુન જેવાએ જગત પર આવી પડેલી આપત્તિના નિવારણ અથે જ એને પ્રયોગ કરે. શ્રીકૃષ્ણની પ્રેરણાથી અર્જુને દિવ્યાસ્ત્રને છેડયું, પણ તે કેવી રીતે ?
पूर्व आचार्यपुत्राय ततोऽनन्तरमात्मने । भ्रातृभ्यश्चैव सर्वेभ्यः स्वस्तीत्युक्त्वा परंतपः ॥ देवताभ्यो नमस्कृत्य गुरुभ्यश्चैव सर्वशः ।
उत्ससर्ज शिवं ध्यायन् अस्त्रम् अस्त्रेण शाम्यताम् ॥ અહીં શિવં ચાયન એ શબ્દો ઘણા જ સૂચક છે. દિવ્યાસ્ત્રને પ્રયોગ કરતી વેળાએ અર્જુનના મનની સ્થિતિ કેવી છે તે એ શબ્દ બતાવે છે, જ્યારે મળ શાતામ્ એ શબ્દ તેનું પ્રયોજન બતાવે છે. આજની ભાષામાં કહીએ તે અશ્વત્થામાને હેતુ aggressive અને unlimited destruction છે, જ્યારે અર્જુનને હેતુ કેવળ defence છે.
દિવ્યાસ્ત્રો છૂટતાં એક મોટા ધડાકા સાથે આકાશ, અગ્નિની વિરાટ જવાળાઓ વડે વ્યાપ્ત થઈ ગયું અને પૃથ્વી કંપી ઊઠી.”
પૃથ્વી પર આ આપત્તિ ઊતરેલી જોઈને નારદ અને વ્યાસ બને એ બે શસ્ત્રો વચ્ચે, અશ્વત્થામા અને અર્જુનની વચ્ચે આવીને ખડા થઈ ગયા. મનઃ રામયિતું ઢોવાનામ્ હિતામ્યા ત્યારે (ગાંધીકલ્પિત જગતશાંતિ માટેની ત્રીજી શક્તિ–Third force – અહિંસા શક્ટ્રિ આ છે) બને પ્રતિસ્પધીઓને તેમણે કહ્યું: “આ શું સાહસ કરી બેઠા, સર્વવિનાશી? યુદ્ધો તે આદિકાળથી થયા કરે છે, પણ આવાં અસ્ત્રોને પ્રયોગ આજ સુધી કેઈએ નથી કર્યો (જાણતાં છતાંય).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com