________________
૧૪૬
કાળ દરમિયાન પણ ધૃતરાષ્ટ્રની પરિચર્યા આ ત્રણ જ કરતા હતા. ઉપરાંત પાંડવ પ્રત્યેક કાર્ય તેની સલાહ લીધા પછી જ કરતા. સવારમાં પાંચેય જણ ધૃતરાષ્ટ્રને પાયવંદન કરીને જ પોતપોતાની દિનચર્યાઓને આરંભ કરતા. આવી જ રીતે કુતી ગાંધારીને વડીલ ગણીને તેની સેવામાં નિમગ્ન રહેતી; અને દ્રૌપદી, સુભદ્રા, નાગકન્યા ઉલૂપી, ચિત્રાંગદા, ધૃષ્ટકેતુની બહેન, જરાસંધની પુત્રી આદિ અન્ય પાંડવકુલવધૂઓ બન્ને સાસુઓ – કુન્તી તેમ જ ગાંધારી – પ્રત્યે સમાન ભાવે વર્તતી.
આ ઉપરાંત કૃપાચાર્ય પણ ધૃતરાષ્ટ્રની સુખસગવડ બરાબર સચવાય તેનું ધ્યાન રાખતા અને વ્યાસજી પણ પિતાને આ અંધ પુત્રના એહિક તથા પારલૌકિક હિતને નજર સામે રાખીને હસ્તિનાપુરમાં આવજા કર્યા કરતા, અને ધૃતરાષ્ટ્ર તેમ જ ગાંધારીને પુરાણકથાઓ સંભળાવીને ઉચિત પુણ્યકાર્યો કરવા પ્રેરતા, જે વિદુર દ્વારા તે અમલમાં મુકાવતે.
ધૃતરાષ્ટ્રનું શાસનતંત્રમાં પહેલાંના જેટલું જ ઉપજયું હતું તે બતાવવા માંટે, મહાભારત લખે છે કે, પોતાના ભયાનક અપરાધે માટે ન્યાયાસન તરફથી દેહાંતદંડની સજા પામેલાઓને માફી આપવાની અગર એની મરજી થાય, તે તે વિના સંકોચે તેમ કરી શકતું હતુંઅને એ બાબત યુધિષ્ઠિર તેને કશીયે રોકટોક ન કરતો. વળી બહારથી હસ્તિનાપુર આવતા રાજવીઓને અને રાજપુરુષોને સૌથી પહેલાં ધૃતરાષ્ટ્રને વંદના અર્પવા તેના પ્રાસાદમાં લઈ જવામાં આવતા. ટૂંકામાં ધૃતરાષ્ટ્રનું સ્થાન અને માન આજની ભાષામાં કહીએ તો રાષ્ટ્રપ્રમુખ (Head of the Nation) જેવું હતું. પલટાયેલી સ્થિતિને કારણે ધૃતરાષ્ટ્રને કોઈ પણ રીતે માઠું ન લાગી જાય, કઈ પણ બાબતમાં તેનું મન ન દુભાય, તેની તકેદારી યુધિષ્ઠિર હંમેશાં રાખો.
અને તેના ભાઈઓ સર્વે પ્રકારે તેના અંતરની ઈચ્છાને અનુકૂળ થતા.
આવાં અપવાદ હોય તે એક માત્ર ભીમને હતો, જોકે ઉપર ઉપરથી તે તે પણ મોટાભાઈના આદેશને અનુસરતા હોય એવો દેખાવ કરતા!
પણ તેનું હદય પૂતરાષ્ટ્ર યુવૃદ્ધા થવૃત્ત – ધૃતરાષ્ટ્રની બુદ્ધિને પરિણામે જે કંઈ થયું તેના ડંખને કેમેય કરીને ભૂલી શકતું નહોતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com