SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ મધુમક્ષિકા. વધારે ગંભીરાઈ કે બુદ્ધિને વિષય નથી. હું ધારું છું કે આટલી ઉમર સુધી પરણવા તરફ મારે તિરસ્કાર તે એ સારું થયું. કારણ કે તે ઉમરના ઘણા યુવાનને લગ્નની છા ખરાબ કરે છે. એ વિકારથી દૂર રહેવાને લીધે હું જ્ઞાન મેળવવામાં અને મનુષ્ય-સ્વભાવ અવલોક્વામાં ભો રહી શકો. અને પુખ્ત ઉમરે ઉત્પન્ન થયેલી લગ્નની ઈચ્છા, પસંદગી કરવામાં જોઇતું ડહાપણ પૂરું પાડી શકી. એક યુકિતથી હું તેને મારા દેસ્ત તે વખતની મીઠી ગરજ અર્થે દોસ્ત !) ને ઘેર મળી શકે. હું તેને ભવિષ્યને પતિ છું એમ કઈ રીતે તેણીને જાણવા દીધું નહિ. વાતચીતથી અને કેટલાક સ્વાલ જવાબ ઉપરથી તેણીના ગુણ દેવ હું કેટલેક દરજજે સમજી શક ગંભીરતા અને મર્યાદશિલતા ( કે જે પોશાક પહેરવાની ઢબ અને બોલતી વખતના હાવ ભાવ તથા વાતમાં વપરાતા શબ્દો ઉપરથી સમજી શકાય છે ); સાધારણ ન્યાયાત્યાય-બુદ્ધિ વિગેરે મગજના ગુણ છે કે જે કાંઇ સાંસારિક વિષય અને ધર કામ વિષે સ્વાલ પૂછવાથી જણાઈ આવે છે ); સહૃદયતા વિગેરે અંત:કરણના ગુણ ( કે જે માં-બાપ, ભાઈ-ભાંડુ વિગેરે ઉપરના હેત પરથી માલમ પડે છે); કામ કરવાની હોંશ અને ત્વરા(કે જે કટલેક દરજજે કામ કરવાની અને હીંડવાની ઝડપ ઉપરથી કે જીભ અને હાથની ગતિની ત્વરા ઉપરથી સમજાય છે); અને સ્વછતા (કે જે અચાનક થયેલી મુલાકાત વખતના દેદાર ઉપરથી સમજી શકાય છે): એટલા ગુણે ખરા જેવાના છે. એક દષ્ટિએ ભોંય પાડે અગર પુસ્તકો ભણી ભણીને માટે કરેલા અલંકારિત ઉદ્દગારો અને શબ્દોથી ચકીત કરે એ ગુણે કે ચબાવલાપણું અને નખરાંની મારે કાંઈ જરૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy