________________
૧૮ ભવ. ]
અઢારમા ભવ ઉપરથી લેવાનો બોધ.
Vig
આ અઢારમા વાસુદેવના ભવથી કેટલીક વાતે વિચારમાં લેવા જેવી મળી આવે છે. સલમા ભવમાં મુનિપણમાં કરેલા નિયાણાના યોગે ઉગ્ર પાપાનુબંધી પુય ઉપાર્જન કરેલું હતું. તે પુણ્યના પ્રતાપે તેમને ત્રિપૃષ્ઠના ભવમાં વાસુદેવની ત્રાદ્ધિ પ્રાપ્ત થઈ પણ પરિણામે તે ઋદ્ધિ તેમને નીચી ગતિમાં લેઈ જનારી થાય છે. અહિં જીવ ઉન્નતિ અને અવન્નતિ કેવાં કારણેથી પ્રાપ્ત કરે છે એ વિચારવા જેવું છે. સલમાં ભવમાં તેમના સંબંધમાં આવેલા વિશાખાનંદીના જીવે તેમની કરેલી મજાકને બદલે તેને કેવા રૂપમાં મળે છે એ પણ જાણવા જેવું છે. આ ભવમાં જે કેશરી સિંહને વધ વાસુદેવે કર્યો તે કેશરી સિંહ વિશાખાનંદીને જીવ ભવભ્રમણ કરી તિર્યંચની ગતિમાં કેશરીસિંહપણે ઉત્પન્ન થયે હતો. છ અજ્ઞાતપણે પાપબંધન કરે છે તેને બદલે તેને તે ભવમાં નહિ તે ભવાંત્તરમાં પણ ભોગવ પડે છે એ આખા ચરિત્રમાં પ્રત્યક્ષપણે દષ્ટિગોચર થાય છે.
પ્રતિભાશાળી અને પરાક્રમી પુરૂષના લક્ષણ નહાનપણથીજ જણાઈ આવે છે. તેનામાં સ્વમાનને ગુણ જન્મથી કુદરતી હોય છે. અભિમાન, મિથ્યાભિમાન અને સ્વમાન એ ત્રણના વચ્ચે ભેદ સમજવા જેવું છે. અભિમાન એ દુર્ગણ છે, મિથ્યાભિમાન એ તેનાથી પણ વધારે ખરાબ દુર્ગણ છે ત્યારે સ્વમાન એ વ્યવહારિક ગુણ છે, એ ગુણને તેના વાસ્તવિક સ્વરૂપમાં ખીલવવામાં આવે તે તેનાથી તેને અશુભ કર્મ બંધ કરવાના પ્રસંગો કમતી આવે છે.
પ્રજાપતિ રાજાના દરબારમાં પોતાના સ્વામીના બળના લીધે ચંડવેગ દૂતે બતાવેલ અવિવેક ત્રિપુષ્ટથી સહન થઈ શકો નહિ. ચંડવેગ કોને દૂત છે, પિતાના પિતા માંડરિક રાજા છે. અને ચંડવેગને નશિયત કરવાથી શું પરિણામ આવશે તેને કંઈ પણ ખ્યાલ મનમાં નહિ લાવતાં ચંડવેગની તેને જે ફજેતી કરી,એજ સ્વમાન અને પરાક્રમની નિશાની છે. તે પછી કેશરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com