SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ભવ. ] સ્વયંપ્રભાનું લગ્ન. થએલું છે, તેથી રાજપુત્રીને ગ્ય તે વર નથી ! એમ જણાવી બીજા વિધાધર રાજાના પુત્રનું નામ આપ્યું. એમ જુદા જુદા મંત્રિઓએ પિતાના અભિપ્રાય જણાવ્યા પછી એક મંત્રિએ સ્વયંવર કરવા પિતાને મત જણાવ્યું. એ પ્રમાણે સર્વમંત્રીઓને મત લઈને રાજાએ તે સર્વને વિદાય કર્યા પછી સંભિન્ન નામના નિમિત્ત શાસ્ત્રના ઉત્તમ જાણકાર નિમિત્તજ્ઞને બોલાવી એ બાબતમાં તેને અભિપ્રાય પૂછયે. નૈમિત્તિકે કહ્યું કે “પૂર્વે એક મુનિરાજ પાસેથી મેં સાંભળ્યું છે કે એકવાર ભગવંત ઋષભદેવે ભરત ચક્રીએ પુછવાથી તેને જણાવ્યું હતું કે આ અવસર્પિણિકાલમાં મારા જેવા બીજા ત્રેવીશ તથંકરે, તારા જેવા બીજા અગીયાર ચક્રવતિઓ, નવ બલદે, અર્ધભરતક્ષેત્રના સ્વામી નવ વાસુદેવ અને પ્રતિપક્ષી અર્ધ ભરતક્ષેત્રના સ્વામી નવ પ્રતિ વાસુદે ઉત્પન્ન થશે. તેથી હે રાજા ! તે પ્રભુના કહેવા પ્રમાણે હાલ ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ ઉત્પન્ન થયેલ છે. તે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને હણને વિદ્યાધરોના નગર સહિત ત્રિખંડ ભરત ક્ષેત્રની ભૂમિને ભગવશે, અને સર્વવિદ્યાધરનું ઐશ્વર્ય તમને આપશે, તેથી આ કન્યા વિપૃષ્ઠને આપે; કારણ કે તેને જે બીજે કઈ હાલ આ પૃથ્વી ઉપર જણાતું નથી. આ પ્રમાણે તેનાં વચન સાંભળી બહુ હર્ષ પામ્ય અને યથાયોગ્ય સત્કાર કરી તેને વિદાય કર્યો. તેના કહેવા મુજબ ત્રિપૃષ્ઠ વાસુદેવને પિતાની રાજકન્યા આપવાને નિશ્ચય કર્યો. પિતાના નિશ્ચય મુજબ મરિચિ નામના દૂતને પ્રજાપતિ રાજા પાસે મોકલી પિતાની ઇરછા જણાવી, અને તેને સ્વીકાર થયે. વિદ્યાધરરાજા પ્રતિવાસુદેવ અવગ્રીવની શંકાથી તે કન્યાનું પાણિગ્રહણ કરાવવા કન્યાને લઈને પ્રજાપતિરાજાના નગરે આવ્યા પોતાની રાજ્યરિદ્ધિના પ્રમાણમાં પોતાના તાબાના વિદ્યાધર,સામંત અને બીજા સામાન્ય બળ વાહનો લઈને આવેલ હોવાથી નગરની બહાર પડાવ નાખે. પ્રજાપતિ રાજાએ તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy