________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ નિયાના કહેવાને એક દાખલે તે મલ્ય. પણ જે હવે સિંહના વધરૂપ બીજા દાખલાની પ્રતીતિ થાય તે બરાબર શંકાસ્થાન પ્રાપ્ત થયું એમ માની શકાય.” આ વિચાર કરીને તેણે એક બીજે દૂત મોકલી પ્રજાપતિ રાજાને કહેવરાવ્યું કે “તમે સિંહના ઉપદ્રવથી શાળાના ક્ષેત્રની રક્ષા કહે ” અવગ્રીવની આવી આજ્ઞા આવતાં રાજાએ અચળ અને ત્રિપૃષ્ઠકુમારને બેલાવી કહ્યું “હે કુમારે! અશ્વગ્રીવ રાજાએ જે આજ્ઞા ફરમાવી છે તે તમારા દુરા ચરણનું તાત્કાલિક ફળ છે. જે આ તેની આજ્ઞાનું પાલન નહિ કરીએ તે અશ્વગ્રીવ રાજા યમરૂપ થશે, અને પાલન કરીશું તે સિંહ યમરૂપ થશે. એ પ્રમાણે બને રીતે આપણું ઉપર અપમૃત્યુ પાસ થયેલ છે; તથાપિ હે વત્સ ! હું તેની આજ્ઞાનું પાલન કરવાને જાઉં છું.
પિતાનાં એવાં વચન સાંભળી અને કુમારોએ કહ્યું “પિતાજી! અશ્વગ્રીવ રાજાનું બળ કેટલું છે તે અમારા જાણવામાં આવ્યું છે! સિંહ એક પશુ છે, અને તેને ભયંકર જાણનાર તે પણ પશુ છે. તે સિંહને ઘાત કરવાને અમે જઇશું. આપ નિશ્ચિત રહે. અને અમને આજ્ઞા આપે. આ પ્રમાણે વિનયયુકત કહી મહાપ્રપાસે રાજાને સમજાવી તેમની આજ્ઞા મેળવી અ૯પપરિવાર સાથે
જ્યાં સિંહ હતું તે પ્રદેશ તરફ તે બન્ને કુમારે આવ્યા ત્યાં સિંહે હણેલા અનેક સુભટોના અસ્થિને ઢગલે જોઈ ઘણું આશ્ચર્ય પામ્યા.
કુમારએ તે પ્રદેશમાં વસતા ખેડુતેથી સિંહના ઉપદ્રવની માહિતી મેળવી. અને પિતાના સૈન્યને ત્યાં રાખી બને જણ એકલા જ્યાં સિંહની ગુફા હતી ત્યાં ગયા. તેમના રથને શેષ સાંભળી સિંહ આમ તેમ જોવા લાગ્યા. અને આ કે રથના પરિ. વારવાળા બે પુરૂષે જ છે એમ જાણી તેમની ઉપેક્ષા કરી સિંહ ફરીવાર સુઈ ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com