________________
૨૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ : લાગે છે, પણ અહિ આપણે વિશાખાનદીના જીવને તેનું ફળ કેવી રીતે ભેગવવું પડે છે તે આપણે જોઈએ.
અધિકાર, લક્ષમી, અને જુવાનીના મદમાં વિશેષે કરી છે બીજાની હાંસી મજાક કરતા જોવામાં આવે છે. “હસતા બાંધેલું કમર રડી ભેગવવું પડે છે. એવી એક કહેવત છે. વિશ્વભૂતિ મુનિને જવા નિયાણાના પ્રતાપથી અઢારમા ભાવમાં વાસુદેવ થઈ જે સિંહનો વધ કરે છે તે સિંહ તે આ વિશાખાનદિનેજ જીવ છે. મનુષ્યમાંથી તિર્યંચગતિમાં અને ત્યાંથી નરકગતિમાં તે જાય છે. - નરકગતિના બાંધેલા આયુષ્યના લીધે નરકમાં ઉત્પન્ન થઈ તે
ગતિના લાયકની વેદના ભેગવી ત્યાંનું આયુષ્ય પૂરું કરી ઘણે કાલ સંસારમાં તે રજળે છે. ભગવત મહાવીરના સતાવીશમા ભવમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રી ગૌતમગણધરાદિ સહ વિહાર કરતાં એક ખેડુતને બતાવીને તેની દયા લાવી તેને બંધ આપવા જવા ગૌતમસ્વામીને ભગવંતે આજ્ઞા આપી મોકલ્યા તેનું વૃતાંત આપણે વિસ્તારથી તે ભવના વિવેચનમાં જોઈશું, પણ, અહિં એટલું યાદ રાખવાનું છે! કે-તે ખેડુત તે આ વિશાખાનંદીને જ જીવ છે. રાજકુંવર અને જુવાનીના મદમાં સંસારી અવસ્થાના કાકાના દીકરા મુનિને જોઈને અજ્ઞાનતાના લીધે કરેલી મજાકથી તે જીવ કેટલી અધગતિને પામે એને જ આપણે વિચાર કરી પ્રસંગ આવતાં આવા અશુભ કર્મ ન બંધાય તેને માટે જાગૃતિ રાખવાની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com