________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૭ ભવમાં ઉદયમાં આવી ખપી જવાથી અને ચારિત્ર મેહનીય કર્મના ક્ષપશમથી આ ભવમાં ચારિત્ર ઉદય આવે છે-પામે છે.
ચારિત્ર પાલનમાં તપસ્યાને અંગીકાર કરે છે, તે પણ માસક્ષમણની તપસ્યા કરે છે, ને તેથી શરીર કૃષ થઈ જાય છે, એવા ચારિત્ર અને તપ ગુણમાં વધેલા વિવભૂતિ મુનિને કર્મ કેવી રીતે નીચકેટીમાં ઉતારવાનાં કારણે મેળવી આપે છે એ વિચારવા જેવું છે. વિહાર દરમ્યાન માસક્ષમણને પારણે . ગૌચરીને માટે તે જાય છે. ભવિતવ્યતાના ગે તે જ વખતમાં સંસારી અવસ્થાના કાકાના પુત્ર વિશાખાનંદિ તે ગામમાં આવેલા તેમની છાવણી તરફ મુનિ જઈ ચઢે છે. તેમને મુનિને જોયા, આવા માસક્ષમણુના પારણાવાલા મુનિને વંદન કરી સુપાત્રમાં દાન આપી ઉચ્ચ કોટીમાં જવાનું જે ઉત્તમ નિમિત્તે કારણે તેને તે દુરૂપયોગ કરે છે, અને તે ઉભયને અનિષ્ટનું કારણ બને છે. “મિથ્યાત્રિ અને અજ્ઞાની છ સ્વાર બંનેને અહિત કર્તાજ હોય છે.” તપસ્યાથી કાયબલ ઓછું થાય એ સ્વાભાવિક છે. તે પ્રમાણે મહાત્મા વિશ્વભૂતિ મુનિનું શરીરબળ ક્ષીણતા. પામેલું હતું ગાયના ધકકાથી તેઓ પી જાય છે. એ બનાવથી રાજકુલમાં જન્મેલો પણ હલકાસ્વભાવને વિશાખાનંદી મિથ્યાત્વ અને અજ્ઞાનતાના લીધે તે મુનિના બલ સંબંધે મશકરી કરે છે, તે મુનિ સાંભળે છે. મુનિઓને ચારિત્રપાલનમાં આ એક જાતને પરિસહ છે. બાવીસ પ્રકારના પરિસહ વખતે આત્માર્થિઓ જે શુદ્ધ ઉપગ રાખી પરિસહ સહન કરે છે તે પરિસહ તેમને કર્મક્ષય અને સંવરનું કારણ બની નિકટ ભવી બનાવી એક રીતે સાચા મિત્રની ગરજ સારે છે. આ વિશાખાનંદીએ કરેલી મશ્કરી આકાશપરિસહ કહેવાય. બાવીશ પરિસહમાં તેનું સ્થાન બારમું છે. યતિ ને કેઈ અજ્ઞાની પુરૂષ bધ અને ઈર્ષાને વશ થઈ અનિષ્ટ અને તિરસ્કારનાં વચન કહે તે સાંભળી તે વચન બોલનાર ઉપર દમદંત મુનિની પેઠે કેપ કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com