SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ – ભવ. ] ઉચ્ચ-નીચ ગોત્રકર્મ, જવાની તેને લજજા આવી. એમ ઉભયની વચમાં તેને આત્મા હિંદળાવા લાગે, તેણે એક યુક્તિ શેધી કાઢી, નવીન વેષની કપના કરી. એ યુક્તિથી ભાવી થનારા અનર્થને તેને વિચાર સુઝ નહિ. પિતાને ઉત્પન્ન થએલા વિચારો તેણે ભગવંતને અથવા સ્થવિર સાધુમહાત્માઓને જણાવ્યા હત! તે વખતે તે ભૂલ કરતે અટકત ! પણ સ્વછંદાચરણમાં પ્રવૃત્તિ કરવાની ભાવનાવાળા છોના મનમાં એવા વિચાર ઉત્પન્ન થવા મુશ્કેલ છે તેણે પિતાના કપિતઆચારની કરેલી ગોઠવણને અંગીકાર કર્યો. અને તે પ્રમાણે તે વર્તવા લાગ્યા, પણ ઉપદેશ તે તે શુદ્ધજ આપતા હતા. “એક વખત જીવ ઉચ્ચકેટીએ ચઢતે અટકી નીચે ઉતરવા માંડે છે, એટલે કેટલીક વખત તેને જે જે કંઈ નિમિત્તે પ્રાપ્ત થાય છે! તેને તે દુરૂપયોગ કરી નીચે ઉતરતે જાય છે.” ભરત ચક્રવતી સરળહૃદયથી ભવિષ્યમાં થનારા તીર્થકરોની હકીકત ભગવંતને પૂછે છે, અને ભગવંત પોતાના કેવળજ્ઞાનના બળથી કહી બતાવે છે. મરિચિને જીવ આગામિકાળમાં આ વીશીમાં તીર્થકર થશે, તેથી તીથ કરપદ ઉપરની પિતાની શુદ્ધશ્રદ્ધા ભક્તિના લીધે ભવિષ્યમાં થનાર તીર્થકરના જીવને વંદન કરવાને યેગ પ્રાપ્ત થયે છે, તેને ઉપયોગ કરી લેવાની ભાવના તેનામાં જાગી. તેમના અશુદ્ધવેષથી તે માહિતગાર છતાં ગુણગ્રહણ કરવાની બુદ્ધિવાળા અને અનેકવરની ભકિતમાં રક્ત ભરત ચક્રવર્તી પ્રભુની આજ્ઞા મેળવી તેને વંદન કરે છે. વંદન કરતી વખતે વંદનનો હેતુ જણાવે છે. છતાં પણ મરિચિને પિતાના કુલને મદ થાય છે. “ગુણનેજ જેનાર, મદ રહિત, ભણવા ભણવવામાં નિરંતર રુચિવાળા, અને શુદ્ધ દેવગુરૂધર્મના આરાધક પ્રક કરી ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે છે. જ્યારે તેથી વિપરીત સ્વભાવવાળા એટલે પારકી નિંદા કરનાર, અને પોતાના ગુણેની પ્રસંશા કરનાર, ભણવા ભણાવવામાં પ્રમાદી, કુદેવ, કુગુરૂ અને કુધર્મના પાલનાર ઘણા ભવે નીચ ગોત્ર કમને બંધ કરે છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy