________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨ મારા લાયક શિષ્ય છે એમ જાણે મરિચિએ જણાવ્યું કેતેમનામાં ધર્મ છે, અને મારા માર્ગમાં પણ ધર્મ છે. પછી કપિલ તેને શિષ્ય થયા. આ ઉત્સુત્ર પ્રરૂપણાથી મરિચિએ કેટકેટી સાગરેપમ કાળ પ્રમાણુ સંસારઉપાર્જન કર્યો. તે પાપની આલોચના કર્યા વગર પ્રાંતે અનશનવડે મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળે દેવતા થયે. તથા કપિલ પણ આસુરી વગેરે શિષ્ય કરી, બ્રહ્મકમાં દેવ થયે. ત્યાં અવધિ-વિર્ભાગજ્ઞાનથી પોતાના પૂર્વજન્મને જાણુંને કપિલ મેહથી પૃથ્વી પર આવ્યું, અને આસુરી વિગેરેને પિતાને સાંખ્ય મત જણાવ્યું. તે વખતથી સાંખ્યદર્શન પ્રવર્યું. કેમકે “લેકે પ્રાયઃ સુખસાધ્ય અનુષ્ઠાનમાં પ્રવર્તે છે.”
અહીં નયસારને જીવ મરિચિપણે ત્રીજા ભવમાં ઉત્પન્ન થએલે તે ભવ પૂરે થાય છે. આ ભવમાં તેણે નીચત્ર નામનું અશુભકર્મોપાર્જન કર્યું. તેમ એક કટોકટી સાગરોપમ પ્રમાણુ સંસારમાં ભમવાનું કર્મ ઉપાર્જન કર્યું, નીચ ગેત્ર બાંધ્યું તે સંબંધી
કાંઇ વિચાર કરીએ.
નિર્મળ પરિણામયુકત શુદ્ધચારિત્રના સેવનથી જીવ ઉત્તરોત્તર ઉચ્ચ કેટીમાં ચઢે છે. તે ધનની આ ભવમાં તેને પ્રાપ્તિ થઈ હતી. તે સાધનને ઉપયોગ કરવામાં તે કંટાળી ગયે. ચારિત્રપાલવાના ખરા પ્રસંગે તે તાપ અને તૃષાના પરિસહથી શિથિલ પ્રેરણાઓ, શરીરસુખની ભાવના તેનામાં ઉત્પન થઈ, અને શુદ્ધચારિત્રપાલન કરવા પોતાની નબળાઈ તેને લાગી. અહિં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે! તે એ કેભગવંતના યુદ્ધમાર્ગમાં આ વખતે તેને અશ્રદ્ધા થઈ ન હતી ફકત પોતે શુદ્ધચારિત્રાચારનું પાલન કરવાને અશક્ત છે એમ તેના મને જેર કર્યું, અને તેના તાબે થયા, સાધુવે છે ગૃહસંસારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com