SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨ શ્રી ઋષભદેવ ભગવંતને કેવળજ્ઞાન પ્રગટ થયું, ત્યારે દેવેએ પ્રથમ સમવસરણની રચના કરી, તેમાં બેસી ભગવંત દેશના (ઉપદેશ) દેતા હતા, ત્યાં પિતા અને બીજા ભાઈઓની સાથે મરિચિ પણ તેમના દર્શનાર્થે ગયા હતા. દેવતાઓએ કરેલે પ્રભુને મહિમા જોઈ અને ધર્મ સાંભળીને તેમને વૈરાગ્ય થયું. તેથી તેમણે પ્રભુની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. યતિધર્મનું જાણપણું કર્યું. વૈરાગ્યભાવના વધતી ચાલી, પોતાના શરીરમાં પણ નિસ્પૃહ થયા, ત્રણ ગુમિ તથા પંચ સમિતિ પાળવા સાથે કષાયને વિજેતા યતિધર્મનું પાલન કરતા; તેમજ સ્થવિર સાધુઓની પાસે અગીઆર અંગને અભ્યાસ કરતા શ્રી ત્રાષભપ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. અને એ પ્રમાણે ઘણા કાળ સુધી વિહાર કર્યો. એક વખત ગ્રીષ્મઋતુ આવી, તે સમયે સૂર્યનાં કિરણે અતિતપવાથી પૃથ્વીની રજ ઘણી તપી હતી, એવી તપેલી પૃથ્વીમાં મુસાફરી કરનારાઓના સર્વાગ તપીને ગરમ ગરમ થઈ જતાં હતાં. તપેલી પૃથ્વી ઉપર ચાલનારાઓ તેમાં પણ પગરખાં રહિત ને ઉગ્રતા અનુભવાય તે સહજ છે. આ સમયમાં ભગવંતની સાથે વિહાર કરતાં એક વખત મરિચિ મુનિનું શરીર અતિશય તપી ગયું. પશીનાથી વસ્ત્રા ભીજાઈ ગયાં, તૃષા પણ ખુબ લાગી; એ પ્રમાણે તાપ અને તૃષાને પરિસહ એક સાથે થયે, તે સહન કરવાને તેઓ અશક્ત થયા. ચારિત્રમેહનીય કમેં ઉછાળે માર્યો, વિચાર મલિન થયા અને સ્વચ્છેદાચરણ આચરવાની વૃત્તિ થઈ, દુઃખે વહન થઈ શકે એવા ચારિત્ર ધર્મના પાલન માટે પોતાને નિર્બળ માનવા લાગ્યા. “મન ભાગ્યું તેનું સૌ ભાગ્યું,” એ કહેવત પ્રમાણે તેમનું મન બદલાયું, નિર્બળતાના વિચારે એ જોર કર્યું. તે પિતાના પતિત મન સાથે વિચાર કરવા લાગ્યા કે–મેરૂ પર્વતની જેમ વહન થઈ શકે નહિં તેવા આ સાધુપણાના ગુણોનું પાલન કરવાને હવે હું સમર્થ નથી. કારણકે-૯તે નિર્ગુણ અને શરીરસુખની આકાંક્ષાવાળ છું. અને આ તેને ત્યાગ પણ હવે શી રીતે થાય? તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy