SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ ભવિ. ! લબ્ધિઓને ઉપયોગ ક્યારે ? ૩૩૧ વંત મુનિઓ કેટલી શક્તિવાળા હોય છે, તેનો વિચાર કરવા જે વું છે. જગતના લેકે ચમત્કાર જુએ છે, અને તેવા પ્રકારની શકિત પ્રાપ્ત કરવા કેટલાક મિથ્યાવિ દેવની ઉપાસના અને તેના અંગે જીના વધ કરે છે, તે પણ તેમને શકિત પ્રાપ્ત થતી નથી. જૈન શાસકારોનું મંતવ્ય છે કે, આવા પ્રકારની લબ્ધિઓ, વગર ઈચ્છા એ કેવળ આત્મહિતની ખાતર શુદ્ધ ચારિત્રનું આરાધન કરવાથી, મન વચન અને કાયા એ ત્રણ ગે નિર્મળ થવાથી, અને અસાધારણ તપના પ્રભાવથી આત્માની નિર્મળતા થવાથી, વિના પ્રયાસે અને વિના ઈચ્છાએ સહજ સ્વભાવથી જ પ્રાપ્ત થાય છે. જેઓને આવી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હોય છે, તેઓ કદી પણ પિતાના સુખ કે લાભના માટે તેને ઉપગ કરવાની ભાવના કરતા નથી. કેવળ પરના ઉપકારાર્થ' કે શાસન સેવાના કામમાંજ એ શકિતને ઉપગ કરે છે. આ લબ્ધિ પ્રાપ્ત કરવાના અધિકારી કેણ, કેટલે દરજજે હોય છે, તે પણ બતાવવામાં આવ્યું છે. ભગવંત મહાવીર દેવને તે એ તમામ લધિ તીર્થ કર. પણના વેગે સ્વાભાવિક પ્રાપ્ત થએલી હતી. પરિસના પ્રસંગે ભગવંતે બૈર્યતાપૂર્વક પરિસહ સહન કર્યા હતા તે તમામ તેમના અનુપમ ત્રીકરણ યુગના બળના પ્રભાવે સહન કર્યા હતા અને કિંચિત પણ પિતાના સ્થાનમાંથી ચલાયમાન થયા ન હતા. સંગમ દેવ કરતાં ભગવંતનામાં અનંત ઘણું શકિત હતી, છતાં કર્મ નિજર કરવાના ધ્યેયવાળા પ્રભુએ, તે શકિત કે લબ્ધિઓને પિતાના લાભના માટે જરા પણ ઉપયોગ કર્યો ન હતું તે પ્રસંગે જે સંગમના સાથે યુદ્ધ કરવા ધાયું હતું, તે સંગમને ચાંચડની પેઠે ચાળી નાખવા જેટલું પ્રભુનામાં બળ હતું; છતાં સમભાવથી તેના ઉપર દ્વેષ, કે વૈરબુદ્ધિ લાવ્યા શીવાય તેના કરેલા ઉપસર્ગો પિતે સહન કર્યા હતા. - લબ્ધિ અને અતિશયમાં ફેર છે, એમ તેમના સવરૂપ ઉપરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy