SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૦ જેનાથી પ્રાપ્ત થઈ હોય, તેમજ પદ–વચન અલંકાર સહિત ઉંચે સ્વરે નિરંતર બોલતાં પણ જેનાથી ઘાંટો બંધ પડે નહી, તેને વાગબલી લબ્ધિ કહે છે. વયતરાય કર્મના ક્ષપશમ થકી એવું પ્રબળ બળ પ્રાપ્ત થાય કે બાહુબલીની પેઠે કાગે રહેતાં વર્ષાકાળ પણ શ્રમ રહિત હોય, તેને કાયબલી લબ્ધિ કહે છે. ઘણા કર્મના ક્ષપશમ થકી પ્રજ્ઞાને પ્રકર્ષ ઉદય થાય, અને જેના પ્રભાવથી દ્વાદશાંગી ચઉદ પૂર્વાદિક શ્રતને ભયા વિનાજ, જે રીતે ચઉદ પૂર્વના ધારક મુનિએ અર્થની પ્રરૂપણું કરે તેમની પેઠે, મહા કઠીન વિચારેને વિષે પણ જેનાથી અતિ નિપૂણ બુદ્ધિ થાય, તેને પ્રાજ્ઞશ્રમણલબ્ધિ કહે છે. વિદ્યાધરભ્રમણ મુનિની વિદ્યાના બળે એવી શક્તિ હોય છે કે, તેઓ પોતે દશ પૂર્વકૃત ભણ્યા છે, અને રોહિણી પ્રજ્ઞપ્તિ ઇત્યાદિ મહાવિદ્યાના પ્રભાવથી, આરીસા માંહે અંગુઠીવડે ભીત ઉપર દેવને અવતારી ( આલેખી), પછી તેમને પુછી સમસ્ત કાળને નિર્ણય કરી શકે છે. ઈત્યાદિ ઘણુ પ્રકારની લબ્ધિઓ છે. જેમને સિદ્ધપણું પ્રાપ્ત થવાનું છે, તેમને ભવસિદ્ધિ કહે છે. જે ભવસિદ્ધિ પુરૂષ છે, તેઓ ઉપર જણાવેલી તમામ લબ્ધિના અધિકારી છે. તેમને એ લબ્ધિઓ થાય.ભવસિદ્ધિ સ્ત્રીઓને ઉપર જણાવેલી લબ્ધિઓ પૈકી, ૧ અરિહંત ૨ ચક્રવતિ ૩ વાસુદેવ ૪ બળદેવ ૫ સ ભિન્નશ્રોત ૬ વિદ્યાચારણાદિક ૭ પૂર્વ૮ગણધર પુલાક અને ૧૦ આહારક શરીર કરવાની લબ્ધિ, આ પ્રમાણેની દસ શીવાય બાકીની અઢાર લબ્ધિ પ્રાપ્ત થાય. શ્રી મલિલનાથ ભગવંતને સ્ત્રી પણે તીર્થકરપણું પ્રાપ્ત થયું, તે તે આશ્ચર્યકારક બનાવમાં આવે છે. અભવ્ય સ્ત્રી પુરૂષને ઉપરની દશ અને તે શીવાય કેવલી લબ્ધિ, રૂજુમતિ લબ્ધિ, વિપુલમતિ લબ્ધિ, એ તેર લબ્ધિ પ્રાપ્ત ન થાય, તેમજ મધુંઆશ્રવ અને ખીરાશ્રવ એ લબ્ધિ પણ પ્રાપ્ત ન થાય અને બાકીની પ્રાપ્ત થાય અને ન પણ થાય. ઉપર જણાવેલી લબ્ધિઓના ટુંક વિવેચન ઉપરથી લબ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy