________________
[ પ્રકરણ ૧
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પ્રકરણ ૧ લું
પહેલે અને બીજો ભવ. ગ્રામચિંતક નયસાર, સુનિદાન, સમકિતની પ્રાપ્તિ, અને
બીજે દેવભવ. જીના મુખ્ય બે ભેદ છે. એક મુતાત્મા અને એક બીજા સંસારી.
એ વિજ ૧ મુકતાત્મા-સર્વથા કર્મથી રહિત તારી થઈ સિદ્ધ થએલા, જેમને કર્માભાવને લીધે છે. જો કે જન્મ મરણ કરવું પડતું નથી તે.
૨ બીજા સંસારી-જવ અનાદિ કાળથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના લીધે કર્મબંધન કરી દેવ, મનુષ્ય, તિર્યંચ, અને નરક એ ચારગતિ રૂપ સંસારમાં ભવભ્રમણ-જન્મ મરણ કરે છે તે.
સંસારી જીવ જ્યારે અનાદિમિથ્યાત્વને ઉપશમાવવા પ્રયત્નવાન થઈ રાગદ્વેષરૂપ જે ગાંઠ તેને ભેદે છે, ત્યારે આત્મવિશુદ્ધિ રૂપ-સમકિતગુણ પ્રાપ્ત કરે છે, તે પછી તે જીવની પરિણતિમાં ફેરફાર થાય છે; કદાપિ તે સમક્તિથી ભ્રષ્ટ થાય છે તોપણ સમકિતની પ્રાપ્તિપૂર્વેની અશુદ્ધતાના જુસ્સામાં કમતીપણું થાય છે. સમકિતની પ્રાપ્તિ પછી તે જીવને સંસારમાં ભમવાને કાળ મર્યાદિત થાય છે, તે મર્યાદિત કાળમાં તમામ કર્મખપાવી આત્માનું શુદ્ધસ્વરૂપ, કેવળજ્ઞાન, કેવળદર્શનાદિ પ્રગટ કરી મેક્ષ પ્રાપ્ત કરે છે, ત્યારે આત્મા મુતાત્માની પહેલી કેટીમાં આવે છે.
ભગવંત મહાવીરના જીવને એવા અમૂલ્યસમતિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com