SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ ચિંતવી ન શકાય તેવે તે અચિંત્ય, શકિતવાન, વિષ્ણુ ( સમર્થ ), કર્તા, કતા, જ્ઞાતા, અને કર્મથી ભિન્નભિન્ન સ્વરૂપવાળે છે. માટે હે ગૌતમ! આવા પ્રકારની યુકિતઓથી જીવ છે એમ માની તમારા મનની શંકા છે તેને નાશ કરો.” ઈદ્રભૂતિ સરળ બુદ્ધિવાળા, સત્યના ગવેષક હતા. વેદના પદને પોતે જે અર્થ કરતા હતા તે યથાર્થ નહી હતું, અને પ્રભુએ તે પદને જે અર્થ કર્યો છે તે જ વાસ્તવિક છે, એવી તેમની પ્રતીતિ થઈ. તેમને અહંકાર ગળી ગયે. પ્રભુના ઉપદેશથી તેમને વસ્તુના સ્વરૂપનું જ્ઞાન થયું. સંસારની અનિત્યતાને ભાસ થયે અને વૈરાગ્ય રંગથી ભીંજાઈ ગયા. પ્રભુના ચરણમાં પ્રણામ કરી, ગદ્દગદ્દ કંઠે પ્રભુને પ્રાર્થના કરી કે, - “હે સ્વામી! ઉંચા વૃક્ષનું માપ લેવાને વામન પુરૂષ ઇચ્છા કરે, તેમ હું દુર્મુધિ આપની પરિક્ષા કરવાને અને આપની સાથે વાદ કરવાને અહિં આવ્યું હતું. હે નાથ ! આપે મને સારી રીતે પ્રતિબોધ આપે છે. હું હવે સંસારથી વિરકત થયે . આપ અનુગ્રહ કરી મને દીક્ષા આપીને આ સંસાર સમુદ્રથી તારે.” શુદ્ધાશયથી કરેલી માગણી પ્રભુએ માન્ય રાખી. તે પિતાના પહેલા ગણધર થશે એમ જાણીને પાંચસે શિષ્ય સાથે તેમને દીક્ષા આપી. તે સમયે કુબેરે ચારિત્ર ધમને લાયક ઉપકરણે લાવી, તે ગ્રહણ કરવાને શ્રી ગૌતમસ્વામીને વિનંતી કરી. તે ગ્રહણ કરતા પહેલાં તે વૈરાગ્યવાન મહામુનીને વિચાર થયે કે, હું તે નિઃસંગ છું તે પછી આ ઉપકરણે મહારે ગ્રહણ કરવા કે કેમ? જેમનું પૂર્વ મેળવેલું મિથ્યાશ્રત પ્રભુના ઉપદેશ અને ચાસ્ત્રિ દાન પછી સમ્યકકૃત રૂપે પરાવર્ત પામેલું છે, જેઓની વૈરાગ્ય ભાવના વૃદ્ધિ પામતી જાય છે, જેમની પરિણતી અને લેખ્યા ઉત્તરોત્તર વિશુદ્ધ થતી જાય છે, એવા પ્રાતઃસ્મરણીય શ્રી ગૌતમે નિર્ણય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy