SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ ૨૭ ભાવ ] સ્યુલપાણે યક્ષને પ્રતિબોધ. ગામના લેક પરસ્પર વાત કરવા લાગ્યા કે, જરૂર પેલા મુનિને અત્યારે તે વ્યંતર મારી નાખશે. યક્ષના આ ભયંકર અટ્ટહાસ્યથી પ્રભુ ક્ષોભ પામ્યા નહીં, અને સહેજ પણ ધ્યાનાવસ્થામાંથી ડગ્યા નહીં, એટલે તે વ્યંતરે મહા ઘેર હાથીનું રૂ૫ વિકવ્યું તેથી પણ પ્રભુ ક્ષોભ પામ્યા નહીં, એટલે ભૂમિ અને આકાશના માનદંડ જેવું પિશાચનું રૂપ વિકવ્યું. તેથી પણ પ્રભુ ભ પામ્યા નહીં. પછી તે દુષ્ટ યમરાજના પાશ જેવું ભયંકર સપનું રૂપ વિક. અમેઘ વિષના ઝરા જેવા તે સર્પ પ્રભુના શરીરને દઢ રીતે વીંટળાઈ ગ, અને ઉગ્ર દાઢેથી ડસવા લાગ્યો. તે પણ પ્રભુ ધ્યાનાવસ્થામાંથી લગીર માત્ર ચલાયમાન થયા નહી અને પિતાને આ પ્રયત્ન નિષ્ફળ ગયે એમ જાણું, તેણે પ્રભુના શીર, નેત્ર, મૂત્રાશય, નાસિકા, દાંત, પૃષ્ટ, અને નખ એમ સાત સ્થાનકે વેદના પ્રગટ કરી, આશાત વેદના પૈકીની એક વેદના જ સામાન્ય મનુષ્યને તે મૃત્યુ પમાડવાને સમર્થ હતી. છતાં આ સાતે વેદના પ્રભુને ધ્યાનમાંથી ચલાવવાને નિષ્ફળ નીવ. વ્યંતરે આ વેદના કરવામાં પિતાનું જેટલું બળ હતું, તેને ઉપગ પ્રભુના ઉપર કર્યો હતે. વ્યંતર આખરે થાક, અને પ્રભુના અતુલ બળ અને સહન શીલતાથી વિસ્મય પામ્યા. પ્રભુની આ દઢ ધ્યાનાવસ્થાએ વ્યંતરના મન ઉપર ભારે અસર કરી, અને તેને ગર્વ નાશ થશે. તે અંજલી એડીને પ્રભુને વિનંતી કરવા લાગ્યું કે હે દયાનિધિ ! આપ મહાશયની શકિત ને નહી જાણનાર એવા મેં દુરાત્માએ આપને અત્યંત અપરાધ કર્યો છે, તે ક્ષમા કરે. જ્યારે અશુભ કર્મોના વિપાક જીવે ને પિતાનું ફળ દુખપે બતાવે છે, ત્યારે પિતાની ઉપર કૃપા ધરાવનાર દેવે પણ મદદ કરી શક્તા નથી. તેજ બનાવ આ સ્થળે બને છે. ઈદ્ર પ્રભુને પ્રાણાંત ઉપસર્ગ વખતે મદદ કરવા 27 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy