________________
૧૮૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૪ વવું નહિ, કે મૃષા બોલનારને સારે કરી જાણ નહિ, કે તેની અનુમોદના કરવી નહિ.
૩ અદત્તાદાન વિરમણ વ્રત–પિતાને જરૂર હોય તેવી કઈ પણ વસ્તુ તેના માલીકના આપ્યા શીવાય મન, વચન, અને કાયાથી લેવી નહિ, લેવરાવવી નહિ, કે તે તેની અનુમોદના કરવી નહિ.
૪ મૈથુન વિરમણવ્રત-દેવતા, મનુષ્ય, વા તિર્યંચની સ્ત્રી સાથે મન, વચન, અને કાયાથી મૈથુન સેવવું નહી, સેવરાવવું નહી, કે સેવે તેને સાફ કરી જાણવું નહી. તેમજ સૃષ્ટિક્રમ વિરૂદ્ધ મૈથુન સેવવું નહીં. મતલબ શુદ્ધ રીતે મન, વચન, કાયાથી બ્રહ્મચર્ય પાળવું.
૫ પરિગ્રહ વ્રત–કઈ પણ જાતને પરિગ્રહ મન, વચન કે કાયાથી રાખ નહી, રખાવ નહી, કે રાખે તેને સારી કરી જાણ નહી. કારણ પરિગ્રહ એ સર્વ સાવદ્ય-પાપમય પ્રવૃતિનું મૂલ છે.
આ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિ ભોજન વિરમણ વ્રત એ પ્રમાણે દીક્ષા વખતે મૂખ્ય છ વ્રત લેવામાં આવે છે. સર્વ સામાન્ય મુનિઓને આ વ્રતના પાલનના અંગે કરણ સીત્તરી, ચરણ સીત્તરી, પિંડ વિશુદ્ધિ વગેરે વિવિધ જાતના નિયમનું પાલન કરવાનું હોય છે. તીર્થકરને આ ક૯પ લાગુ થતો નથી; કેમકે તેઓની છઘસ્થાવસ્થામાં આત્મિક વિશુદ્ધિ ઉત્તરતાર ચઢતા દરજ્જાની હોય છે, તેમજ તેમનું ચારિત્ર ઘણું જ વિશુદ્ધ હોય છે.
ભગવંત મહાવીરને દીક્ષા અંગીકાર કરવાને ગર્ભમાંથી થએલે સંક૯૫ ત્રીશ વર્ષની ઉમરે પુરો થાય છે. ગર્ભમાંથીજ દીક્ષા સંબંધી વિચારે ઉત્પન્ન થવા એ પૂર્વ ભવમાં શુદ્ધ રીતે ચારિત્ર ધર્મનું પાલન કરેલ, તેના જે ઉત્તમ સંસ્કારે છવને લાગેલા તેનું જ આ પરિણામ છે. આ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે, જીવનમાં જેવા પ્રકારના ઉત્તમ, મધ્યમ, વા કનિષ્ઠ સંસ્કારોનું સેવન કરવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com