________________
૧૫૩
ર૭ ભવ. ] વીર જન્મ અને ઇંદ્ર ભકિત.
તીર્થકરના જન્મ વખતે નારકીના જીને પણ એક મુહૂર્ત સુધી શાતા રહે છે, તેમજ સ્થાવર નું છેદન ભેદન થતું નથી; તેથી તેમને પણ સુખ થાય છે તજ પ્રમાણે ભગવંતના જન્મ વખતે નારકીના જીવન અને સઘળા સ્થાવર અને શાતિ થઈ. તે વખતે છપન દિકુમારીઓ, પિતાનાં આસન ચલાયમાન થતાં, ભગવંતના જન્મને જાણીને આનંદ પામી; અને પ્રભુના જન્મ સ્થાનકે આવી પિત પિતાના આચાર અને મર્યાદા મુજબ સુતિક કાર્ય કરી, જન્મ મહોત્સવ કરી સ્વસ્થાનકે ગઇ. શઠ ઈદ્રો તથા અનેક દેવ દેવીઓ મેરૂ પર્વત પર પ્રભુને જન્મ મહેત્સવ કરવા આવ્યા.
ઈદ્ર પણ આસનકંપથી પ્રભુને જન્મ જાણી તત્કાલ પરિવાર સહિત સૂતિકાગ્રહ પાસે આવ્યા, અને ભગવંત તથા ભગવંતની માતાને ત્રણ પ્રદક્ષિણા દેઈ, વંદન સ્તુતિ કરી. ભક્તિ વશાત જન્મ મહોત્સવ કરવાને ભગવંતને મેરૂ પર્વત ઉપર લઈ જવાને માટે ભગવંતની માતાને અવસ્થાપિની નિંદ્રા આપી, અને તેમની પડખે ભગવંતનું પ્રતિબિંબ મુકી ઇદ્ર પોતાના શરીરના પાંચ રૂપ કર્યા. એક રૂપે તેમણે પ્રભુને ઉપાડ કરસંપુટમાં રાખ્યા. બીજા રૂપે ભગવત ઉપર છત્ર ધારણ કર્યું અને બે રૂપે બે પાસે ચામર ઢાળવા લાગ્યા, અને એક રૂપે વજા ઉલાળતા આગળ ચાલવા લાગ્યા. એમ પાંચ વૈક્રિય રૂપ કરીને, મેરૂ પર્વતના પાંડુક વનની દક્ષિણ દિશાએ, અતિ પાંડુંકબલા નામની શિલા ઉપર શાશ્વતુ સિંહાસન છે તેના ઉપર ભગવંતને ઉત્સંગમાં લઈને ઈદ્ર મહારાજ પુર્વ સન્મુખ બેઠા.
પ્રભુને જન્મમહોત્સવ કરવાને બાર દેવ લેકના દસ ઈદ્ર, ભુવન પતિના વિશ ઈદ્ર, વ્યંતરના સેલ ઈક, વાણુ વ્યંતરના સેલ ઇંદ્ર, અને ચંદ્ર તથા સૂર્ય એ બે જ્યોતિષીના બે ઈદ્ર, મલી ચેસઠ ઈદ્ર સપરિવાર ત્યાં એકત્ર મળ્યા. એ ચોસઠે ઈદ્ર તથા ઈંદ્રાણીએ અને સર્વ સામાનક દેવ વિગેરે તમામ દેવના મળી એકંદર બસે
20
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com