SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ભવ ] મનઃ પર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાન. ૧૪૮ અધિક દેખે અને વળી વિશુદ્ધ દેખે. કાળ થકી જુમતિ ૫૫ મને અસંખ્યાત ભાગ જઘન્યથી અને ઉત્કૃષ્ટપણે અતીત અનાગતકાળ જાણે દેખે, અને વિપુલમતી તેહીજ અધિક અને વિશુદ્ધતર જાણે દેખે. ભાવ થકી જજુમતી અનંતાભાવ જાણે દેખે, સર્વ ભાવને અનંત ભાગ જાણે દેખે, અને વિપુલમતિ તેહીજ અધિક અને વિશુદ્ધતર જાણે અને દેખે. ' જુતિ અને વિપુલમતિમાં વિશુદ્ધિ અને અપ્રતિપતિ પણ વડે કરીને ભેદ છે, એટલે વિપુલમતિ વિશેષ શુદ્ધ છે, અને અપતિ પાતિ એટલે એક વખત પ્રાપ્ત થયું એટલે પછી જાય નહી એવા પ્રકારનું જ્ઞાન છે. ત્યારે જજુમતિ તેના કરતાં ઓછું શુદ્ધ અને પ્રતિપાતિ છે (તત્વા અ. ૧ સૂ. ૨૫). અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાનની વિશુદ્ધિ વધારે છે. બનેની ક્ષેત્ર મર્યાદા જુદી જુદી છે. અવધિજ્ઞાનના અધિકારી ચારે ગતિના જીવે છે, ત્યારે મન ૫ર્યવજ્ઞાનના અધિકારી મનુષ્ય અને તેમાં પણ મનુષ્ય સંતજ તેના અધિકારી છે. અવધિજ્ઞાની રૂપી દ્રવ્ય અને તેના કેટલાક પર્યાયને જાણે, ત્યારે મન ૫ર્યવજ્ઞાની અવધિવડે જણુતા રૂપીદ્રવ્યના અનંતમે ભાગે એટલે મનુષ્યક્ષેત્રમાં મનપણે પરિણમેલા મને દ્રવ્યને જાણે. (તત્વા. અ. ૧ સૂ. ૨૬) આ મન:પર્યવજ્ઞાન પણ દેશ પ્રત્યક્ષ છે. કેવલજ્ઞાન. કેવલજ્ઞાનને એક જ પ્રકાર છે. કેવલજ્ઞાની સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સમકાળે સામટા જાણે દેખે તેમજ તે સર્વ કેવલજ્ઞાનીને સરખું હેય. સર્વથા જ્ઞાનવરણીયકર્મના ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રગટ થાય છે. તેને સર્વ પ્રત્યક્ષજ્ઞાન કહે છે. સર્વ કાલકને તથા તેમાં રહેલા પદાર્થને પ્રત્યક્ષ પણ જાણે દેખે છે. કેવલ એટલે શુદ્ધ, તેના આવરણને નાશ થવાથી અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy