SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ 1ર9 ૨૭ ભવ. ] ત્રીશલાને શોક-ભગવંતની પ્રતિજ્ઞા. હું કેને દેષ આપું? તેઓની આંખમાંથી શ્રાવણ અને ભાદરવાના વષદની પેઠે ચોધાર આંસુ પડવા લાગ્યાં. વળી તેઓ કર્મને ઉ લંભે આપી વિચારવા લાગ્યાં કે, અપાપાણીવાલા, તથા રત્નના નિધાનરૂપ એવા સમુદ્રમાં છિદ્રવાળે ઘડે પણ પાણીથી ભરાઈ શકતું નથી તેમાં સમુદ્રને શ ષ ? વસંતઋતુમાં જ્યારે સઘળી વનસ્પતિઓ પ્રફુલ્લિત થાય છે, તે વખતે કેરડાના વૃક્ષને પત્રે આવતાં નથી તેમાં વસંતઋતુને શે દોષ? હે પ્રભુ? આમાં હું કેને દોષ આપું? એને મારા કર્મને જ દેષ છે. રાણના આવા વિલાપયુક્ત વર્તનથી સખીઓનું હૈયું ભરાઈ આવ્યું. તેમાં પણ રડવા લાગી. પરંપરાએ રાજાને આ બનાવની ખબર પ. ઊત્તમ બુદ્ધિવાલા રાજાને પણ ક્ષોભ થયે, સઘળા રાજકુટુંબ અને રાજદરબારમાં શોકની લાગણી છવાઈ રહી આ વૃત્તાંત અવધિજ્ઞાનથી ભગવંતે ગર્ભમાં જાણે. તેઓ વિચારવા લાગ્યા કે, મેહની ગતિ અતિ ગંભીર છે. ખરાબ ધાતુની પેઠે મેં જે ગુણના માટે કામ કર્યું તે ઊલટું દેષરૂપ નિવડયું ! મેં તે મારી માતાના સુખના માટે ક્યું, તે ઊલટુ તેણીના ખેદને માટે થયું. નાળીએરના પાણીમાં નાખેલું કપુર મૃત્યુને નિપજાવનાર થાય છે, તેમ ભાવિ પાંચમા આરામાં ગુણ પણ દોષને કરનારે થશે. એ પ્રમાણે વિચારી માતાને ઊત્પન્ન થએલું દુઃખ નિવારવાને પિતે કંપવા–ફરકવા-લાગ્યા. તેથી ત્રિશલા દેવીને શેક દુર થયે, અને પુર્વવત હર્ષવંત થયાં, અને કહેવા લાગ્યાં કે મેં જન્મભર જિનેશ્વર પ્રભુના ધર્મનું આરાધન કરેલું છે. તે ધર્મ આજે મને ફળીભુત થયે. એવી રીતે તેણીને હર્ષયુકત જોઇને સઘળે આનંદ છવાઈ રહ્યો. ભગવંત ગર્ભમાં સાડા છ માસના થયા ત્યારે તેમને એ વિચાર આવ્યું કે, જ્યારે હું હજી માતાના ઉદરમાં છું ત્યારે મારી માતાને મારા પર અતિ ગાઢ સ્નેહ છે, તે જ્યારે મારે જન્મ થશે ત્યારે તે તે નેહ કેટલે બધે વૃદ્ધિ પામશે. માટે જ્યાં સુધી મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy