________________
તેઓશ્રી કાળધર્મ પામ્યા બાદ પ્રસિધ્ધ થવા પામેલ છે.
આ ગ્રંથરત્નમાં પ્રસિધ્ધ થયેલ ૧૩૫ સમાધાનની કરવામાં આવેલી શુદ્ધિમાં શ્રી ચતુર્વિધ સંઘમાંના પૂજ્ય આચાર્યાદિ કેઈપણ મહાશયને કોઈ પણ સ્થળે અશુદ્ધિ કે શાસ્ત્રવિપરિતાદિ દોષ જણાય તો તેઓશ્રીએ પોતે જાતેજ અને લખી જણાવવા કૃપા કરવી. કે જેથી પૂ. શાસનક ટકોદ્ધારક ગણિવર્ય શ્રી હંસસાગરજી મહારાજશ્રી મારફત તેને સુધારે પણ તરત પ્રસિધ્ધ કરાવવાની અમારી મનોકામના સફલ બને.
આ અમૂલ્ય પુસ્તકરત્નને સંકલનાબદ્ધ પધ્ધતિથી યથાક્રમે જીને વિષયાનુક્રમણિકાદિ સહિત સર્વાગ સુંદર બનાવનાર પ્રશાંતમૂતિ પૂ. મુનિરાજશ્રી મુનીન્દ્રસાગરજી મહારાજે તથા દરેકે દરેક વિષયનું સૂક્ષ્મદષ્ટિએ પરિશીલન કરી જવા પૂર્વક શાસ્ત્રના પાઠની બારીકાઈથી એકસાઈ કરીને આ પુસ્તક રત્નનાં સમસ્ત એર્ડર પુરે પણ દત્તચિતે તપાસી જવા વડે વ્યાકરણ વિશારદ-જ્યોતિર્વિદ પૂ. મુનિરાજશ્રી નરેન્દ્રસાગરજી મહારાજે સુવિશુધ્ધતા સમર્પે છે, તે બદલ તેઓશ્રીને સાદર આભાર માનવામાં આવે છે.
આ પુસ્તક રત્નના પ્રકાશનમાં-વિ. સં. ૨૦૧૮ના વૈશાખ વદિ ૬ના દિવસે ઠળીયા મુકામે પૂ. શાસનકંટાહારક ગણિવર્ય શ્રી હંસસાગરજી મહારાજશ્રીના પુણ્ય હસ્તે અભૂતપૂર્વ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય તેની ખુશાલીમાં ઠળીયા શ્રી જૈન સંઘે રૂા. ૩૫૦ની ઉદાર સહાય કરેલ તે બદલ શ્રી ઠળીયા જૈન સંઘનો પણ આભાર માનવામાં આવે છે.
આ આત્મ કલ્યાણી પુસ્તકરત્નનું કલ્યાણકામી જને, વાંચન-મનન અને પરિશીલન કરીને આ. શ્રી લબ્ધિસૂરિજી મુ.નાં અસત્ય સમાધાનથી બચે, એજ એક શુભ ભાવના. શિવમસ્તુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com