SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ધારણ કર્માધીન છે, અને ઈશ્વર કર્મબંધથી વિમુક્ત છે, પછી એને અવતારની વાત સંગત કેમ થઈ શકે? મહાભારતમાં કહે છે – " बीजान्यग्न्युपदग्धानि न रोहन्ति यथा पुनः । જ્ઞાનસત્તથા નમાં વપરાતે પુનઃ ” (વનપર્વ) અર્થાત–અગ્નિથી બળી ગયેલાં બીજ જેમ ફરી ઉગતાં નથી, તેમ જ્ઞાનથી બળી ગયેલા કમલેશ ફરી એ આત્માને વળગતા નથી. “ જ પુનરાવર્તત, ર પુનરાવર્ત” તિ ફરી (સંસારમાં) આવતું નથી, આવતું નથી.] એ શાસ્ત્ર-વચન પણ જાણીતું છે. મુક્ત આત્માને કર્મકલેશે ફરી વળગતા નથી, તે ઈશ્વરને વળગે? ઈશ્વર ફરી પાછો કર્મબન્ધામાં જોડાય? ફરી ગર્ભવાસમાં આવે? સંસારની ઉપાધિમાં પડે? પરમવીતરાગ, પરમનિરંજન, પૂર્ણ શુદ્ધ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ઈશ્વરનું જગત્કતૃત્વ જ જ્યારે ઘટી શકતું નથી, તે એના અવતાર લેવાની વાત કેમ ઘટી શકે? રાગાદિવિમુક્ત, પૂર્ણ નિર્મલ પરમેજવલ ચેતનને રાગાદિકર્દીમમાં– ભવચકની ઉપાધિજાલમાં પડવાનું માનવું ચેપગ્ય નથી. જે મહટા શક્તિશાલી મહાપુરુષને “અવતાર તરીકે કહેવામાં આવે છે તે તેમના કીર્તિકીર્તિનના ભક્તિનાદમાં ભેળવેલી અતાવિક અતિશયોક્તિ છે. મનુષ્યના મનહર વદનને ચન્દ્ર કહી દઈએ, મ્હોટા તળાવને અપાર પારાવાર કહી દઈએ તેવું એ બનેલું છે. અને એ સાધારણ બુદ્ધિથી પણ સમજી શકાય તેવું છે. એવા વિશેષણથી પ્રશંસિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034913
Book TitleKalyansadhan Digdarshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Pustakalay
Publication Year1941
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy