________________
૪૬
જુનાગઢ
હતા. એમના જીવનમાં મુખ્ય રસ કૂતરાંઓને પાળવાના હતા. એ કૂતરાંએને એ રાજવ'શીએની જેમ રાખતા હતા.
૧૯૪૭ના મે માં જૂનાગઢના દીવાન તરીકે સિધના એક આગેવાન મુસ્લિમ લીગી નેતા શાહનવાઝ ભુટ્ટો આવ્યા હતા. એ ઇતિહાસના પ્રવાહને પિછાનતા ન હતા. એમણે જ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડયું હતું. આને પરિણામે કટોકટીની પરિસ્થિતિ સાઈ. ભારતે આ જોડાણને વિરોધ કર્યો, તાપણુ પાકિસ્તાને એ જોડાણ મંજૂર રાખ્યું.
સરદાર સૌરાષ્ટ્રમાં પાકિસ્તાનના પગઢડા જામે એ સહન કરવા તૈયાર ન હતા. ૧૯૪૭ના સપ્ટેમ્બરની સત્તરમી તારીખે જૂનાગઢની સરહદ ઉપર ભારતીય સેના ગેાઠવી દેવામાં આવી. અઢારમી તારીખે શ્રી વી. પી. મેનન જૂનાગઢ ગયા. એમના હેતુ નવાખને વાસ્તવિકતાનું ભાન કરાવવાના હતા. એ નવાખને તેા ન મળી શકયા. દીવાનને મળ્યા. દીવાને એમને કહ્યું કે જે કંઈ વાત કરવી હોય તે પાકિસ્તાનની સરકાર સાથે જ કરવી જોઈ એ. શ્રી મેનન માણાવદરના ખાનને પણ મળ્યા. એમણે પેાતાના રાજ્યનું જોડાણ પાકિસ્તાન સાથે કર્યું. હતું. એમણે શ્રી મેનનની વાત ન સાંભળી. માંગરોળના શેખસાહેબ જુદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com