________________
પૂજાભકિતના ઉપકરણે ગમે તેવા હોય તે પણ ચાલે, ઓછાય ચાલે, મંદિરના હોય તે પણ ચાલે, વગેરે વગેરે પણ આપણી બાહ્ય પોઝીશનમાં પંકચર ન પડવું જોઈએ. શાસ્ત્રકારે તે લખે છે કે શકિત પહોંચે તે પૂજાના કપડાં રેજના રોજ નવા પહેરો. પિતાના પાપ કેકામાં દૂધ ન જાય તેની ચિંતા નહિ પણ ભગવાનના અંગે પ્રક્ષાલ તે મારા દૂધને જ કરું મારી શકિત મુજબ ઉપકરણો ઝગમગતા લાવું, ઉજળા રાખુ, સંસાર મારી લક્ષ્મીને ચુસી ખાય તેના બદલે તે તમને વ્યય તારક તીર્થ કરની પૂજામાં કરું, એવા એવા મનોરથો પૂજકને પૂજ્યની પૂજા અંગેના જાગે. સંસારની કે વિલાસ વૃત્તિની અવગણના ખપે પણ તીર્થંકર દેવ પ્રત્યે બેદરકારી, અનાદર કે આશાતના જરાપણ ચાલવા દે નહિ. એક તીર્થકરની ભકિતથી સર્વે તીર્થકરોની ભકિતને લાભ મળે છે. આત્મા સમ્યગદર્શનને પામે છે, સ્પર્શેલા સમ્યગદર્શનને વિશેષ નિર્મળ બનાવે છે, સુંદર ભાવનાથી વાસના પર વિજય મેળવે છે. વિરતિને રંગ જગાડે છે, ભવની મજલને ટુંકી કરે છે. અને મેક્ષના મેવા ચાખવાનું નજીક બનાવે છે. દેવેની સામુદાયિક ભકિત, કળશ તથા અભિષેક :
આતમ ભકિત મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુ જાઈ નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધમ ધમ સખાઈ;
ઇસ વ્યંતર ભુવનપતિના, વૈમાનિક સુર આવે, અમ્યુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે આવા અડજાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે,
સહુ સહસ હુઆ અભિષેકે, અઢીસે ગુણ કરી જાણે, સાઠ લાખ ઉપર એક કેહિ, કળશાને અધિકાર, બાસઠ ઈંદ્ર તણા તિહાં બાસઠ કપાલના ચાર. આશારા ચંદ્રની યુતિ છાસઠ છાસઠ, રવિશ્રેણી નરાકે,
ગુરૂ સ્થાનિક સુર કે એકજ, સામાનિકને એકે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com