________________
()
પ્રચલિત પરિસ્થિતિ. તો હવે આપણે જોઈ શકયા હેઇશું કે જેનો ઉપર થતા નાસ્તિકતાને આક્ષેપ છેટે છે. મીમાંસા દર્શન અને સાંખ્ય દર્શને ઇશ્વરનો કર્તાપણાને હક્ક ન વિકારે છતાયે આસ્તિક કહેવાય અને જેને ન સ્વિકારે માટે નાસ્તિક કહેવાય તે કેવળ પક્ષપાતી જ બુદ્ધિ નથી? ખરું કારણ તે એ છે કે મીમાંસા અને સાંખ્ય દર્શન વેદને ધર્મપુસ્તક તરીકે માને છે માટે તેઓ આસ્તિક તરીકે સ્વિકારવામાં આવ્યા છે. જેને નથી માનતા માટે જ તેઓને નાસ્તિક કહ્યા છે, પણ આ દલીલ કેવી હાસ્યાસ્પદ છે ? આવતી કાલે તે ઇસ્લામ ધર્મીઓ અને બ્રીરતીઓ હિન્દુઓને નાસ્તિક કહેશે કારણે તેઓ હેમનાં ધર્મ પુરતોને નથી માનતા–તે શું હિન્દુઓને આ આક્ષેપ ગમશે ખરો? નહિ જ. વ્યાકરણ શાસ્ત્રી પાણિનિ નાસ્તિક કોને કહે છે તે - જુઓ. આત્માની જુદી જુદી અવસ્થામાં જે ન માને તે નાસ્તિક.
(૮૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com