SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવસ્તિ પ૩ર : [ જૈન તીર્થોને સ્થાન મનહર છે. અહીં ઘણું જડીબુટ્ટીઓ અને વિવિધ વનસ્પતિઓ મળે છે. કવિવર શ્રી સૌભાગ્યવિજયજી અહીં આવ્યા ત્યારે નીચે પ્રમાણે પરિ સ્થિતિ હતી. જ હે સાવથી નયરી ભલી, છ હે હવણ તિહાંના લેક, જી હા નામે કેના ગામડે, જી હો વનગહવર છે થેક; જી હાં પગલાં પ્રતિમા છે તિહાં, જી હે પૂજે આણી પ્રેમ, જી હે તિન વન ખેડે જાણજે, જી હે ઠંડક દેશની સીમ; છ હે પાલક પાપીયે ઘણે, છ હે પડ્યા બંધક સીશ, જી હે પરિષહ કેવલ લહ્યો, જી હે પેહતા મુગતિ જગીસ; જી હે બંધક અગ્નિકમર થઈ, જી હે બાહ્ય દંડક દેશ. કટુક અને કિરાય, છહ ઉપજે તિણે પ્રદેશ; જ્યારે વિવિધતીર્થકલ્પમાં અવસ્તિકમાં નીચે પ્રમાણે ઉલેખ મલે છે દક્ષિણધે ભરતક્ષેત્રમાં અનેકગુણસંપન્ન કુણાલ દેશમાં શ્રાવસ્તિ નામની નગરી છે, જેને વર્તમાનમાં મહેઠ (અત્યારે સેટમેટને કિલ્લો કહેવાય છે. થી નિપલસૂરિજી વખતે મહેર નામ પ્રસિદ્ધ હશે ) નામથી પ્રસિદ્ધ છે. જ્યાં આજ પણ ગાઢ જંગલમાં શ્રી સંભવનાથજીની પ્રતિમાજીથી વિભૂષિત ગગનચુખી અને રીઓથી અલંકૃત જિનમંદિર છે, જેને ફરતે કેટ છે. તે ચત્યની નજીકમાં સુંદર લાલ અશેક વૃક્ષ રેખાય છે. તે જિનમંદિરની પોળમાં જે બે કમાડે છે તે મણિભદ્ર યક્ષના પ્રતાપથી સાંજે આપોઆપ બંધ થઈ જાય છે અને સૂર્યોદય સમયે આપોઆપ ઊઘડી જાય છે. અન્યદા કલિકાલમાં અલ્લાઉદીનના સૂબા મલિક હવસે વાઈ નગરથી આવીને મંદિરની ભીંત અને કવાડ તેડીને કેટલીક જિનમતિઓને ખંડિત કરી. દુસમ કાલમાં શાસન પણ મંદ પ્રભાવવાળા થઈ જાય છે તો ચિત્ય શિખરમાં યાત્રુ સંઘ ઉત્સવ કરે છે ત્યારે એક ચિત્તો ત્યાં આવીને બેસે છે. કેઈને ભય પમાડતું નથી અને જ્યારે મંગલ દીપક કરે છે ત્યારે પિતાને સ્થાને ચાલ્યો જાય છે, આ નગરમાં બુદ્ધ મંદિર ઘણાં છે. જ્યાં સમુદ્રવંશીય કરાવલ રાજા બૌદ્ધ ભકત છે અને અદ્યાવધિ પિતાના ઈષ્ટ દેવ સામે મહામુલ્યવાન અને પલાણથી અલંકૃત ઘેડે ભેટ ધરે છે. બુદ્ધદેવે મહાપ્રભાવિક જાંગુ વિવા અહીંજ પ્રગટ કરી હતી. અહીં વિવિધ પ્રકારના ચેખા-ડાંગર ઉત્પન્ન થાય છે. દરેક જાતની ડાંગરને એક દાણ લઈને એક ઘડામાં નાખે તે ઘડો ભરાઈ જાય એટલી વિવિધ ડાંગર થાય છે. આ નગરમાં ભગવાન શ્રી સંભવનાથજીનાં યવન, જન્મ, દીક્ષા અને કેવલ જ્ઞાન કલ્યાણક થયાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy