SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૧૭ : આ સિવાય પુનડ, સાત દેવકુલિકાઓ રચાવી હતી. ધનાઢ્યોએ શત્રુંજય ઉપર લાખ્ખો રૂપિયા ખચી, પુણ્ય ઉપાર્જન કર્યુ હતુ.. શ્રી શત્રુંજય આલ્યૂ વગેરે મત્રીઓ અને તીર્થયાત્રાઓ કરી, અગણિત આ પછી ૧૩૭૧ માં સમરાશાહના ઉધ્ધાર આવે છે. મહાન્ યુગપ્રધાનાચા માલબ્રહ્મચારી શ્રી વજ્રસ્વામીજીના સદુપદેશથી મધુમતી(મહુવા)વાસી ભાવડશાહના પુત્ર જાવડશાહે વિ. સ. ૧૦૮ માં આ તીર્થના ઉષ્માર કરાવ્યા છે. આ વિષયની નોંધ લખતાં શ્રી જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થંકલ્પમાં લખે છે કે- अष्टोत्तरे वर्षशतेऽतीते विक्रमादिह । વડુચવ્યયાહૂ વિë, નાહિ: સ યથીષિરાત્। ૭૨ || X X X मधुमत्यां पुरि श्रेष्ठ, वास्तव्यो जावडिः पुरा । श्रीशत्रुंजय महात्म्यं, श्रीवैरस्वामितोऽश्रृणोत् ॥ જાવડશાહના જીર્ણોદ્ધાર સમયે કેટલાં મહિશ અને મૂર્તિઓ મૂલનાયક તરીકે સ્થાપિત થયાં તેના ઉલ્લેખ પણ જિનપ્રભસૂરિજી આ પ્રમાણે જણાવે છે. इत्थं जावडराचार्हत् पुण्डरीक - कपर्द्दिनाम | મૂિિનવૈશ્ય લગ્નો,વિમાનાતિથિમાજ્ || ૮૩ || ૧. જાવડશાહના મુખ્ય ઉદ્ધાર પછી આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિજીએ પણુ અહીં ઉદ્ધાર કરાવ્યેા છે. પ્રભાવક ચિરત્રમાં તેના ઉલ્લેખ નીચે પ્રમાણે મળે છે, પછી કૃતજ્ઞ વિદ્યાસિદ્ધ નાગાર્જુને શત્રુ ંજય પર્વતની તલેટીમાં જઇને, પાદલિપ્ત’ નામે નગર વસાવીને પેાતાના ગુરુના નામ ઉપરથી તેનું સ્થાપન કર્યું, અને પર્યંતની ઉપર તે સિદ્ધસાહસિક વીરપ્રતિમાથી અધિષ્ઠિત ચૈત્ય કરાવ્યું. ત્યાં ગુરુમૂર્તિ સ્થાપિત કરી અને ગુરુમહારાજશ્રી પાદલિપ્તસૂરિજીને ખેાલાવીને ખીજા' જિનાિની પણ ત્યાં પ્રતિષ્ઠા કરાવી. ” આ ઉદ્દાર પણ ગૌણુ-પેટા ઉદ્દાર મનાય છે. હાલના કેટલાક લેખા પાલી ભાષા સાથે પાલીતાણાના સબંધ જોડવા પ્રયત્ન કરે છે પરન્તુ તે એક નરી કલ્પના માત્ર છે. તે માટે કાઇ પ્રમાણુ નથી. જ્યારે જૈન ગ્રંથમાં પ્રમાણ મળે છે કે શ્રી પાદલિપ્તસૂરિજીના શિષ્ય નાગાર્જુને પેાતાના ગુરુના નામથી શત્રુ જયની તલાટીમાં ગામ વસાવ્યું અને પાદલિપ્તનું પ્રાકૃતરૂપ ‘પાલિતય' થાય છે તે ઉપરથી પાલીતાણા થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy